મોદી સરકાર કેટલાક સમાન અને સેવાઓ પર ટેક્સ વધારવાનો વિચાર કરી રહી છે.
મોદી સરકાર ટેક્સ વધારવાનો વિચાર કરી રહી છે
કેટલાક સમાન અને સેવાઓ પર ટેક્સ વધી શકે છે
સામાન્ય માણસના ખીસ્સા પર પડશે અસર
બ્લૂમબર્ગના એક રિપોટ મુજબ મોદી સરકાર કેટલાક સમાન અને સેવાઓ પર ટેક્સ વધારવાનો વિચાર કરી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ પગલા પર વધારે સરળ ટેક્સ રેટ સ્ટ્રક્ચર કરવાના હેતુની સાથે વિચાર કરવામાં આવી રહ્યો છે.
જીએસટીનો વર્તમાન દર
જીએસટી પર પેનલની બેઠક ડિસેમ્બરમાં થવાની આશા છે. આ પેનલની અધ્યક્ષતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે. જેમાં વર્તમાનના ચાર રેટ વાળી સિસ્ટમમાં ફેરફાર થઈ શકે છે. આ સમયે દેશમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરથી જીએસટી લગાવવામાં આવે છે. જેમાંથી કેટલોક જરુરી સામાન જેમ કે ખાણીપીણીની વસ્તુઓ પર સૌથી ઓછો દર અને લગ્ઝરી સામાન પર સૌથી વધારે રેટથી ટેક્સ લાગે છે. આ મામલાની જાણકારી ધરાવનારા લોકોએ બ્લૂમબર્ગને જણાવ્યું છે કે આવતા વખતે સૌથી ઓછા 2 દરમાં વધારો થઈ શકે છે.
...તો સામાન્ય માણસનો થશે મરો
રિપોર્ટના જણાવ્યાનુંસાર સૌથી ઓછા બે દરોમાં એક 5 ટકાનો વધારો કરી 6 ટકા અને 12ને 13 ટકા કરી શકાય છે. આ બે દરોથી સૌથી વધારે અસર સામાન્ય વ્યક્તિને થશે. આ ચરણબધ્ધ યોજના અંતર્ગત ચારથી ઘટાડીને 3 પર લાવવામાં આવશે. રાજ્યના નાણા મંત્રી આવતા મહિનાના અંત સુધી આ મામલામાં પોતાના પ્રસ્તાવોને રાખી શકે છે. બ્લૂમબર્ગના નાણા મંત્રાલયને આના પર પ્રતિક્રિયા આપવા માટે સંપર્ક કર્યો પરંતુ નાણા મંત્રાલયા પ્રવક્તાએ અત્યાર સુધી આના પર કોઈ જવાબ નથી આપ્યો.
જીએસટીની સૌથી મોટી વિશેષતા
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2017માં મોદી સરકારે જીએસટી લાગૂ કરી હતી. જીએસટીની એક દેશ, એક ટેક્સ વ્યવસ્થા હેઠળ તમારે એક જ ટેક્સ આપવાનો રહેશે. જીએસટીની સૌથી મોટી વિશેષતા એ છે કે કોઈ પણ સામાન અથવા સર્વિસ પર આ ટેક્સનો દર સમગ્ર દેશમાં એક જ હોય છે. એટલે દેશના કોઈ પણ ભાગમાં હાજર કસ્ટમર અથવા કન્ઝ્યૂમરને તે વસ્તુ અથવા સેવા પર એક જેવો ટેક્સ આપવો જોઈએ. જીએસટીને 3 પ્રકારમાં વહેચવા જોઈએ. સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઈન્ટીગ્રેટેડ જીએસટી.