લેબર કોડના નિયમો અનુસાર કર્મચારીઓના કામના કલાકો બદલાઈને 12 કલાક થઈ શકે છે
મોદી સરકાર 1 જુલાઈથી લાગુ કરવાની હતી આ નિયમો
રાજ્યોની તૈયારી ન હોવાના કારણે 1 ઓક્ટોબરથી લાગુ થશે નિયમો
1 ઓક્ટોબરથી બદલાઈ જશે સેલેરી સાથે જોડાયેલા આ નિયમો
મોદી સરકાર 1 ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર 1 જુલાઈથી લેબર કોડના નિયમો લાગુ કરવા ઈચ્છતી હતી પરંતુ રાજ્ય સરકારોના તૈયાર ન હોવા ના કારણે તેને ટાળવામાં આવ્યું હતું. હવે મોદી સરકારે 1 ઓક્ટોબરથી તેને લાગુ કરવાનો ટારગેટ રાખ્યો છે.
લેબર કોડના નિયમો અનુસાર કર્મચારીઓના કામના કલાક બદલીને 12 કલાક થઈ શકે છે. ટૂંક સમયમાં જ સરકારી અને પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને પોતાની સેલેરી, ગ્રેચ્યુટી અને PFમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
1 ઓક્ટોબરથી બદલાઈ જશે સેલેરી સાથે જોડાયેલા આ નિયમો
સરકાર નવા લેબર કોડમાં નિયમોને 1 એપ્રિલ, 2021થી લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારી ન હોવા અને કંપનીઓની એચઆર પોલિસી બદલવામાં વધારે સમય આપવાના કારણે તેને ટાળવામાં આવ્યું હતું. લેબર મિનિસ્ટ્રીના અનુસાર સરકાર લેબર કોડના નિયમોને 1 જુલાઈથી નોટિફાઈ કરવા ઈચ્છીતી હતી પરંતુ રાજ્યોએ આ નિયમ લાગુ કરવા માટે વધારે સમય માંગ્યો જેના કારણે હવે તેને 1 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવ્યો.
હવે લેબર મિનિસ્ટ્રી અને મોદી સરકાર લેબર કોડના નિયમોને 1 ઓક્ટોબર સુધી નોટિફાઈ કરવા ઈચ્છે છે. સંસદે ઓગસ્ટ 2019એ ત્રણ લેબર કોડ ઈન્ડસ્ટ્રિયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ અને વર્કિંગ કંડીશન અને સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ નિયમ સપ્ટેમ્બર 2020એ પાસ થઈ ગયા હતા.
12 કલાકની થઈ શકે છે નોકરી
નવા ડ્રાફ્ટ કાયદામાં કામકાજના વધુમાં વધુ કલાકો વધારીને 12 કલાકનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જોકે લેબર યુનિયન 12 કલાક નોકરી કરવાનો વિરોધ કરી રહ્યા છે.
30 મિનિટને પણ માનવામાં આવશે ઓવરટાઈમ
કોડ ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટની વચ્ચે વધુ કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઈમમાં શામેલ કરવાની જોગવાઈ છે. હાલના નિયમોમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય નથી માનવામાં આવતો. ડ્રાફ્ટ નિયમોમાં કોઈ પણ કર્મચારી પાસેથી 5 કલાકથી વધારે સતત કામ કરાવવાની મનાઈ છે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાક રેસ્ટ આપવામાં આવશે.
વેતન ઘટશે અને PF વધશે
નવા ડ્રાફ્ટ રૂલ અનુસાર મુળ વેતન કુલ વેતનના 50% અથવા વધુ હોવું જોઈએ. તેનાથી મોટાભાગના કર્મચારીઓના વેતનના સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે. બેઝિક સેલેરી વધવાથી PF અને ગ્રેચ્યુટી માટે કાપવામાં આવેલા પૈસા વધી જશે કારણ કે તેમાં આવનાર પૈસા બેસિક સેલેરી સ્ટ્રક્ચર માં હોય છે. જો કોઈ એવું કરે છે તો તમારી ટેક હોમ સેલેરી ઘટી જશે અને રિટાયરમેન્ટ પર મળતો PF અને ગ્રેચ્યુટીના પૈસા વધી જશે.
રિટાયરમેન્ટ પર વધુ મળશે પૈસા
ગ્રેચ્યુટી અને પીએફમાં યોગદાન વધવાથી રિટાયરમેન્ટ બાદ મળતા પૈસામાં વધારો થશે. પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીઓના ખર્ચમાં વૃદ્ધિ થશે. કારણ કે તેમને પણ કર્મચારીઓના પીએફમાં વધારે યોગદાન આપવું પડશે. તેના કારણે કંપનીઓની બેલેન્સશીટ પણ પ્રભાવીત થઈ જશે.