1 એપ્રિલથી થોડાક ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારો બાદ તમારા પીએફ, કામ કરવાના કલાકો અને સેલેરી જેવા અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
કુલ સેલરીના 50 ટકા અથવા તેનાથી વધારે હોવા જોઈએ
આ કાયદાનો ઉપયોગથી આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થવાની શક્યતા
પીએફમાં થઈ શકે છે વધારો
આ કાયદાનો ઉપયોગથી આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થવાની શક્યતા
જો તમે પણ નોકરી કરો છો તો 1 એપ્રિલથી થોડાક ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફારો બાદ તમારા પીએફ, કામ કરવાના કલાકો અને સેલેરી જેવા અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તમારી ગ્રેચ્યુટી અને પીએફ પણ વધશે. ત્યારે તેમની ટેક હોમ સેલરી ઓછી થઈ જશે. જો કે આ કાયદાના નિયમો પર હજું પણ ચર્ચા ચાલી રહી છે કે આને કેવી રીતે લાગૂ કરી શકાય. તમને જણાવી દઈએ કે ગત વર્ષ સંસદમાં પાસ કરવામાં આવેલા 3 મજૂર સંહિતા વિધેયક(કોડ ઓન વેજેજ બિલ)ના કારણે ફેરફાર થઈ શકે છે. આ કાયદાના ઉપયોગથી આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થવાની શક્યતા છે.
જાણો કેવા પ્રકારના અને ક્યા કયા ફેરફાર થશે
1 સેલરીમાં થશે ફેરફાર
સરકારના પ્લાન મુજબ 1 એપ્રિલથી મૂળ વતન(સરકારી નોકરીઓમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થા) કુલ સેલરીના 50 ટકા અથવા તેનાથી વધારે હોવા જોઈએ. સરકારનો દાવો છે કે આ ફેરફારથી નિયોક્તા અને શ્રમિક બન્નેને ફાયદો થશે.
2 . પીએફમાં થઈ શકે છે વધારો
આ ઉપરાંત નવા નિયમો મુજબ તમારા પીએફમાં એક તરફ વધારો થશે ત્યારે બીજી તરફ ઓન હેન્ડ સેલરી ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે મૂળ વેતન કુલ વેતનના 50 ટકા અથવા વધારે હોવા જોઈએ. આ ફેરફાર બાદ મોટા ભાગે લોકોના સેલરી સ્ટ્રક્ટર ચેંજ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મૂળ વેતન વધવાથી તમારા પીએફમાં વધારો થશે. કેમ કે તમારી બેસિક સેલેરી પર આધારિત રહેશે.
3. 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ
આ ઉપરાંત અધિકત્તમ કામ કરવાના કલાકોમાં વધારો કરી 12 કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 15થી 30 મિનિટ સુધી એક્સ્ટ્રા કામ કરવાને પણ ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ છે. હાજર સમયમાં જો તમે 30 મિનિટથી ઓછા સમય માટે એક્સ્ટ્રા કામ કરો છો તો તેને ઓવરટાઈમમાં નહીં ગણવામાં આવે.
4. 5 કલાક કામ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક
આ ઉપરાંત 5 કલાક સતત કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને 5 કલાક કામ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક આપવામાં આવવો જોઈએ.
5. રિટાયરમેન્ટની રકમમાં થશે વધારો
પીએમની રકમ વધી જવાથી રિટાયરમેન્ટની રકમમાં વધારો થશે. રિટાયરમેન્ટ બાદ લોકોને આ રકમમાં ઘણી મદદ મળશે. પીએફ અને ગ્રેજ્યુટી વધવાથી કંપનીઓમાં સતત વૃદ્ધિ થશે. કેમ કે તેમને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધારે યોગદાન આપવું પડશે.