મોદી સરકાર સવર્ણ આરક્ષણ બિલને સંસદમાં પાસ કર્યા બાદ જ 31 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ બજેટ સત્રમાં આમ જનતાને મોદી સરકાર છ મોટી ગિફ્ટ આપી શકે છે. આ ગિફ્ટને સામાન્ય ચૂંટણી પહેલાં સરકાર તરફથી માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહેલ છે. અમે આપને જણાવવા જઇ રહ્યાં છીએ કે કઇ તે ગિફ્ટો છે કે જેનું એલાન સરકાર જનતા માટે કરી શકે છે.
ખેડૂતો બેરોજગારોનું વેતનઃ
કેન્દ્ર સરકાર ખેડૂતોને જલ્દીથી મોટી ગિફ્ટ આપવા જઇ રહેલ છે. આની જાહેરાત આગામી સપ્તાહ સુધીમાં અને બજેટ પહેલાં થઇ શકે છે. આ અંતર્ગત જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે ત્યારે બીજી બાજુ ખેતી માટે વ્યાજ મુક્ત લોન પણ મળશે. સાથે સાથે બેરોજગારોને પણ દર મહીને તેઓનાં ખાતામાં એક નિશ્ચિત રકમ પણ ટ્રાન્સફર કરવામાં આવશે જેનાંથી તેઓ પોતાનું જીવન ખૂબ સારી રીતે કરી શકશે.
દર મહીને મળશે આટલો જ પગારઃ
પ્રત્યેક સીઝનમાં ખેડૂતોને પ્રતિ એકર ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ પૈસા સીધાં જ ખેડૂતોનાં ખાતામાં નાખવામાં આવશે. જો કે આ પૈસા ખેડૂતોને કેટલીક શરતો સાથે જ મળશે.
આ પૈસાની મદદથી ખેડૂતો ખેતી દરમ્યાન થનારા ખર્ચને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશે. ખેતી દરમ્યાન ખેડૂતોનો મુખ્ય ખર્ચ બીજ ખાદ્ય સિંચાઇ અને પાકની ઉપજ થવા પર બજાર સુધી કરવામાં આવતા પરિવહન પર થાય છે.
મળશે વ્યાજ મુક્ત લોનઃ
કેન્દ્ર સરકાર આને બાદ હવે વ્યાજ મુક્ત લોન પણ આપવાનો પ્લાન પણ કરી શકે છે. જેનાંથી ખેડૂતો પર વધારે આર્થિક બોઝ ન પડે. ખેડૂતોને એક લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન પણ મળશે. વ્યાજ મુક્ત લોન આપવાંથી સરકાર પર અંદાજે 2.30 લાખ કરોડ રૂપિયાનો બોઝ પડશે. સરકાર આની જાહેરાત યૂનિવર્સલ બેસિક ઇન્કમ (યૂબીઆઇ) અંતર્ગત કરશે.
કેન્દ્ર સરકારની હવે સીધી નજર મેં 2019માં યોજાનાર સામાન્ય ચૂંટણી પર છે. જેથી તે બજેટમાં આ યોજનાની જાહેરાત કરવા ઇચ્છે છે. જેથી એનડીએ એક વાર ફરીથી ભારે બહુમતથી જીતી શકે. મોદી સરકાર આ સ્કીમ પર બે વર્ષથી સતત કામ કરી રહેલ છે.
ભારત સરકારનાં મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂકેલ અરવિંદ સુબ્રમણ્યને 29 જાન્યુઆરી 2018નાં રોજ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં 1 અને 2 રાજ્યોમાં યુનિવર્સલ બેસિક ઇન્કમની શરૂઆત થઇ શકે છે. સુબ્રમણ્યને 2016-17નાં આર્થિક સર્વેમાં આ ભલામણ કરી હતી.