જમ્મૂ-કશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાનો બદલો લેવા અને આતંકીઓને જડમૂળથી નાબૂદ કરવા ભારતીય સેના સુસજ્જ છે. હવે આતંકીના આકાઓને ઠાર કરવાનો પણ સમય આવી ગયો છે..આતંકીઓના આકા એટલે કે મસૂદ અઝહરનું ઓપરેશન પુરુ પાડવા માટે તખ્તો તૈયાર છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NSA અજીત ડોભાલે અમેરિકી સેનાના પૂર્વ અધિકારી સાથે ચર્ચા કરી છે. જેમાં આતંકી આકા મસૂદ અઝહરને તેના જ સ્થળ પર ઠાર કરવામાં આવશે..અને તેના માટે પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. અમેરિકન નેવી સીલ કમાન્ડોઝે પાકિસ્તાનમાં 2011માં ઓપરેશન પુરુ પાડ્યું હતું. 2011માં 2જી મેએ એબોટાબાદમાં લાદેનમાં ઠાર કરવામાં આવ્યો હતો. પુલવામા હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આડકતરી રીતે કહી દીધું છે કે સમય અને સ્થળ અમે પસંદ કરીશું. પણ બદલો તો લેવામાં આવશે જ ત્યારે જોવું એ રહ્યું કે અમેરિકાએ જેમ લાદેનને તેના જ ઘરમાં ઘુસીને ઠાર માર્યો હતો. તેમ ભારત પણ શું મસૂદ અઝહરને તેના જ ઘરમાં ઘુસીને ઠાર મારવાનો પ્લાન તો નથી બનાવી રહ્યું ને કારણ કે મસૂદ અઝહર હવે ભારતનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે અને તેના પર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
NSAએ અમેરિકા પાસે માંગી માહિતી
ઉલ્લેખનીય છે કે 9/11 અમેરિકા હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનને ઠાર મારવા માટે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને તેના જ સ્થળે જઈને ઠાર માર્યો હતો. આ ઑપરેશન અમેરિકન નેવી સીલ કમાન્ડોઝે પાર પાડ્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભારત આ જ રીતે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને ઠાર મારવા એક ઑપરેશન પૂરું કરવા માંગે છે. જેના કારણે ભારતે અમેરિકા પાસે આ પ્રકારના ઑપરેશનની માહિતી માંગી હતી.
આ એક ભૂલના કારણે જવાનો થયા શહીદ
શ્રીનગરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ એ કારણો શોધવાના પ્રયાસો તેજ થઈ ગયા છે જેના કારણે દેશના સપૂત શહીદ થયા છે. ત્યારે એક નિયમ એ પણ સામે આવ્યો છે..જેમાં છૂટ આપવાના કારણે આટલો મોટો હુમલો ન અટકાવી શક્યા. 2002-03માં પહેલા જવાનોના કાફલા માટે સુરક્ષા કડક હતી..અને જવાનોના કોન્વોય સાથે સિવિલયન વાહનોને પસાર નહોતા થવા દેવાતા. આ સાથે જ દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. જોકે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ 2002-05 દરમિયાન મુફ્તી મહમ્મદ સઈદની સરકાર દરમિયાન આ નિયમોમાં છૂટ આપવામાં આવી. જેમાં સિવિલિયનોને હેરાનગતિ થતી હોવાનો હવાલો આપીને સિવિલિયનને છૂટ આપવામાં આવી હતી અને કાફલાની સાથે સિવિલયન વાહનો ચલાવવાની મંજૂરી આપી હતી. આ જ ભૂલ છે જેના કારણે આટલો મોટો હુમલો થઈ શક્યો. જો વાહન ચેકિંગ ચાલું હોત તો આટલો મોટો હુમલો અટકાવી શક્યા હોત.