અસમમાં મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની હાજરીમાં આજે કાર્બી-આંગલોગ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
અસમમાં મોદી સરકારે કર્યો ઐતિહાસિક કરાર
1 હજાર ઉગ્રવાદીઓએ કર્યું આત્મસમર્પણ
અમિતશાહે સમગ્ર મામલે આપ્યું મોટું નિવેદન
EC, in its best wisdom, has taken a decision to hold by-polls in 3 constituencies. We welcome this decision. We'll certainly take it up with EC for early elections in other constituencies: TMC leader Partha Chatterjee on the announcement of by-polls on September 30 pic.twitter.com/X0DoKWMbCA
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની હાજરીમાં આજે કાર્બી-આંગલોગ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેને લઈને અમિતશાહે કહ્યું કે હુ બધાને અભિનંદન પાઠવું છે કારણકે લાંબા સમયબાદ શાંતિની શરૂઆત થઈ છે. સાથેજ તેમણે કહ્યું કે નોર્થ ઈસ્ટનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શરૂઆતથી પ્રાથમિકતા હતી.
1,000 militants will surrender under this agreement & lots of arms will be deposited. Peace will be restored. It is a very big achievement: Assam Chief Minister Himanta Biswa Sarma after signing Karbi Anglong Agreement in Delhi https://t.co/7CvhExLhNrpic.twitter.com/zidIO08sOS
We will work for the rehabilitation of 1000 militants who will be surrendering with over 300 sophisticated arms. They will be given reservation in the Karbi Anglong Autonomous Council, for the first time: Assam Chief Minister Himanta Biswa Sarma pic.twitter.com/cZQFE4SM1A
વધુમાં અમિતશાહે કહ્યું કે અસમમાં શાતિ રહે, આંદોલન ન થાય, ઉગ્રવાદ ન રહે, હથિયાર ન ચાલે, ગોળી ન ચાલે સાથે વિકાસ ઝડપથી આગળ વધે તેને લઈને પૂરતા પ્રયાસો કરવામાાં આવ્યા છે.
We will work for the rehabilitation of 1000 militants who will be surrendering with over 300 sophisticated arms. They will be given reservation in the Karbi Anglong Autonomous Council, for the first time: Assam Chief Minister Himanta Biswa Sarma pic.twitter.com/cZQFE4SM1A
ગૃહમંત્રી અમિતશાહે સમગ્ર મુદ્દે એવું પણ નિવેદન આપ્યું કે આ કરાર કાર્બી આંગલોગ વિસ્તારના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે કારણકે આજે 1 હજાર કરતા વધુ ઉગ્રવાદીઓએ હથિયાર મુકી દીધા છે. ઉપરાંત તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિ છે કે જે હથિયાર છોડીને જે આવે છે. તેને વિનમ્રતા સાથે તેની માગ કરતા વધારે આપવામાં આવે છે. અને આજ કારણોસર જૂની સમસ્યાઓ જે મોદી સરકારને વારસામાં મળી હતી. તેનો અંત આવી રહ્યો છે.
અસમ સરકાર વિકાસ માટે 1 હજાર કરોડનો ખર્ચો કરશે
કાર્બી આંગલોગના મુ્દ્દા પર અમિતશાહે કહ્યું કે અસમ સરકાર વિકાસ માટે જે 1 હજાર કરોડનો ખર્ચો કરવાની છે તે ઘણી મોટી વાત છે. સાથેજ તેમણે કહ્યું આજે જે કરાર થઈ રહ્યો છે તે મોદી સરકારની નીતિઓને કારણે થઈ રહ્યો છે.
બ્રૂ શરણાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરાશે
Be it Bodoland agreement, Bru agreement or NLFT agreement, Govt has met more than 80% of the conditions. In Bodoland agreement, almost all the conditions have been met: Union Home Minister Amit Shah pic.twitter.com/GiWKgSa4Ws
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અમિતશાહે કહ્યું કે અમે 2022 આવતા આવતા બ્રૂ શરણાર્થીઓના રહેવાની પણ વ્યવસ્થા કરીશું. ઉપરાંત તેમણે કહ્યું તકે એનએલએફટી કરારમાં 100 કરોડ રૂપિયા આપવાના હતા. જેમાથી 40-40 કરોડની આપી ચુક્યા છે. જેને લઈને ઉગ્રવાદીઓએ તેમના હથિયાર મુક્યા અને તેમના રહેવાની વ્યવસ્થાનો વાયદો અમે પૂરો કર્યો.