મોદી સરકાર હવે ખેડૂત અને કૃષિને આગળ વધારવા માટે ગ્રૂપને 15-15 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આનાથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે પરંતુ તેની સાથે જ કેટલીક શરતોનું પણ તેઓએ પાલન કરવું પડશે.
મોદી સરકારની નવી સ્કીમ
ખેડૂતોને મળશે મોટો ફાયદો
આ રીતે મળશે 15 લાખ રૂપિયા
આ રીતે થશે ફાયદો
મોદી સરકાર ખેડૂતોને સદ્ધર બનાવવા માટે હવે ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવશે. સરકારે 10000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવાની મંજૂરી આપી છે. આવનારા 5 વર્ષમાં તેની પર 4,496 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેનું રજિસ્ટ્રેશન કંપની એક્ટમાં થશે. આ સ્કીમમાં એ તમામ ફાયદા મળશે જે એક કંપનીને મળે છે. આ સંગઠન કોઓપરેટિવ પોલિટિક્સથી અલગ હશે એટલે કે આ કંપનીઓ પર કોઓપરેટિવ એક્ટ લાગૂ થશે નહીં.
સામાન્ય ખેડૂતોને મળશે સીધો ફાયદો
એફપીઓ નાના અને સીમાંત ખેડૂતોનો એક સમૂહ હશે. જેનાથી તેની સાથે જોડાયેલા ખેડૂતોને ફક્ત પોતાની ઉપજ માટે બજાર મળશે અને સાથે જ ખાધ, દવાઓ, બીજ અને કૃષિ ઉપકરણ પણ સરળતાથી મળશે. સેવાઓ સસ્તી મળશે અને સાથે જ વચેટિયાઓથી પણ મુક્તિ મળશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તોમરના આધારે 10,000 નવા એફપીઓ 2019-20થી લઈને 2023-24 સુધી બનાવાશે. તેનાથી ખેડૂતોની સામૂહિક શક્તિ પણ વધશે.
આ રીતે મળશે 15 લાખ રૂપિયા
રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના સ્થાપક સભ્ય વિનોદ આનંદે જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી સરકારે સૌથી પહેલાં FPO ની રચના માટે જાણીતા અર્થશાસ્ત્રી ડો.વાય.કે. અલઘના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ અંતર્ગત ઓછામાં ઓછા 11 ખેડૂત સંગઠિત થઈ શકે છે અને પોતાની કૃષિ કંપની અથવા સંસ્થા બનાવી શકે છે. મોદી સરકાર 15 લાખ રૂપિયા આપવાની વાત કરી રહી છે, કંપનીના કામ જોઈને તેના ફાયદા ત્રણ વર્ષમાં આપવામાં આવશે.
FPO બનાવીને રૂપિયા લેવા માટે છે આ શરત
જો સંગઠન સામાન્ય ક્ષેત્રે કામ કરી રહ્યું છે, તો ઓછામાં ઓછા 300 ખેડૂત તેની સાથે સંકળાયેલા હોવા જોઈએ. એટલે કે બોર્ડના સભ્ય પર ઓછામાં ઓછા 30 લોકો સામાન્ય સભ્યો હોવા જોઈએ. પહેલાં તે સંખ્યા 1000ની હતી.
પહાડી વિસ્તારમાં એક કંપની સાથે 100 ખેડૂતોનું જોડાવવું જરૂરી છે. તેમને કંપનીનો ફાયદો મળતો હોવો જોઈએ.
નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસીઝ તમારી કંપનીનું કામ જોઈને રેટિંગ કરશે અને તેના આધારે જ ગ્રાંટ મળશે.
બિઝનેસ પ્લાન જોવામાં આવશે કે કંપની કયા ખેડૂતોને ફાયદો આપશે. તે ખેડૂતોના ઉત્પાદનનું માર્કેટ આપી શકશે કે નહીં.
કંપનીનું ગર્વનેંસ કેવું છે. બોર્ડ ઓફ ડાયરેક્ટ કાગળ પર છે કે પછી તે કામ પણ કરે છે. ખેડૂતોના બજારમાં પહોંચવાનું કામ સરળ બનાવી રહ્યું છે કે નહીં.
જો કોઈ કંપની તેની સાથે જોડાયેલા ખેડૂતની જરૂરિયાતની ચીજો જેમકે બીજ, ખાધ કે દવાઓ ખરીદી રહી છે તો તેનું રેટિંગ સારું હોઈ શકે છે. તેમ કરવાથી ખેડૂતોને સસ્તો સામાન મળે છે.
શું હોય છે FPO
FPO એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન ખેડૂતોનો એક સમૂહ હશે જે ખેતી ઉત્પાદન કાર્યમાં લગાશ અને સાથે ખેતી સાથે જોડાયેલી વ્યાવસાયિક ગતિવિધિઓ પણ ચલાવશે. એક સમૂહ બનાવીને તમે કંપનની એક્ટમાં રજિસ્ટર કરાવી શકો છો.
હાલમાં કેટલી ખેડૂત કંપનીઓ છે
FPOને વેગ આપવા માટે હાલમાં લઘુ કૃષક કૃષિ વ્યાપાર સંધ અને સાથે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક બંને કામ કરે છે. બંને સંસ્થાઓને મિક્સ કરીને પાંચ હજાર FPO રજિસ્ટર્ડ છે. મોદી સરકાર તેને વધારવા ઈચ્છે છે. રાષ્ટ્રિય સહકારી વિકાસ નિગમને પણ તેની જવાબદારી આપવામાં આવી છે.