કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકસભમાં કહ્યું કે નદી જોડો યોજના અંતર્ગત 30 લિંકની ઓળખાણ કરવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારે કેન-બેતવા નદી જોડો પરિયોજનાને પણ મંજૂરી આપી દીધેલ છે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે નદી જોડો યોજના અંતર્ગત 30 લિંકો શોધવામાં આવી છે. આ સિવાય કેન્દ્ર સરકારે કેન-બેતવા નદી જોડો પરિયોજનાને પણ મંજૂરી આપી દીધેલ છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીએ દ્વીપકલ્પીય નદીઓની 16 કડીઓ અને હિમાલયની નદીઓની 14 કડીઓ શોધી અને ઓળખી લીધેલ છે. આ તમામ લિંકો માટેનો ડિટેલમાં રિપોર્ટ તૈયાર છે.
શું છે આ નદી જોડો યોજના
નદી જોડો યોજના એક મોટા પાયે એક સિવિલ એન્જિનિયરીંગ પ્રોજેક્ટ છે જેનો ઉદેશ્ય ભારતીય નદીઓને જળાશયો અને નહેરોનાં માધ્યમથી એકબીજાં સાથે જોડવાનો છે. તેનાથી ભારતનાં કેટલાક ભાગોમાં પૂર કે પાણીની અછત જેવી સમસ્યાઓને દૂર કરી શકાશે. દેશની કેટલીક નદીઓમાં જરૂરિયાથી વધારે પાણી રહે છે અને કેટલીક એવી પણ નદીઓ છે કે જે ચોમાસા સિવાય સુકાયેલી રહે છે. બ્રહ્મપુત્ર જેવી નદીઓમાં પાણી વધુ રહે છે અને પૂર આવવાની સંભાવનાઓ પણ વધી જાય છે.
NRLP કરશે આ રીતે કામ
National interlinking of rivers Authority એટલે કે રાષ્ટ્રીય નદી જોડો પરિયોજના અંતર્ગત વધુ પાણીવાળી નદીઓનાં પાણીને ઓછાં પાણીવાળી નદીઓમાં ટ્રાંસ્ફર કરવામાં આવશે. ઓફિશિયલી આ યોજનાને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના NPPનાં રૂપે ઓળખવામાં આવે છે.
દેશની પાણીની જરૂરિયાત થશે પૂરી
આ યોજનામાં લગભગ 3000 બંધોનાં નેટવર્કિંગથી દેશભરમાં 37 નદીઓને જોડવા માટે 30 લિંકો એટલે કે કડીઓ સામેલ થશે. તેનું લક્ષ્ય દેશમાં પાણીની જરૂરિયાતોને પૂરું કરવાનું છે. આ યોજના અંતર્ગત 15000 કિલોમીટર લાંબી નવી નહેર બનાવવામાં આવશે જેમાં 174 ઘન કિ.મી પાણીનો સંગ્રહ કરવામાં આવશે.
યોજના અંતર્ગત આ નદીઓનો થશે વિકાસ
આ પ્રોજેક્ટ અંતર્ગત હિમાલયી નદીઓનો વિકાસ પણ કરવામાં આવશે. બ્રહ્મપુત્ર અને ગંગા જેવી નદીઓની સાથે નેપાળમાં તેની સહાયક નદીઓ માટે પાણી રિઝર્વરનું નિર્માણ કરવામાં આવશે. આ સિવાય સિંચાઇ અને જળવિદ્યુત ઉત્પાદન માટે પણ આ યોજના મદદ કરશે.