અનુસુચિત જાતિ-જનજાતિ વર્ગ હોય કે માઇનોરિટી સરકાર દરેક લોકોને ભણવા માટે મદદ કરી રહી છે. જેથી દેશના વિકાસમાં તેઓ યોગદાન આપી શકે. આ જ કારણ છે કે સરકાર વિદ્યાર્થીઓને વિદેશ ભણવા મોકલે છે. મોદી સરકારની આ 4 યોજનાઓને કારણે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જઇ રહ્યાં છે.
વિદેશ ભણવા જવાનુ સપનુ થશે પુરુ
મોદી સરકાર મોકલે છે 4 હજાર વિદ્યાર્થીઓને વિદેશ
જાણો કોણ લઇ શકે છે લાભ આ સ્કોલરશીપનો
નિયમોને પૂરા કર્યા બાદ કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓનો ખર્ચો ઉપાડી રહી છે. સૌથી વધારે માઇનોરિટી આ સેવાનો લાભ લઇ રહી છે. ખુબ જ આસાન નિયમો દ્વારા તમે પણ તમારા બાળકોને વિદેશ ભણવા મોકલી શકો છો.
મોદી સરકારની 5 યોજના
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય વિદેશી સ્કોલરશીપ, રાષ્ટ્રીય પ્રવાસી સ્કોલરશીપ, યુજીસી સ્કોરલશીપ અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય કાર્યક્રમ સ્કોલરશિપ હેઠળ બાળકોને ભણવા બહાર મોકલે છે.
રાષ્ટ્રીય વિદેશી સ્કોલરશીપનો લાભ sc કે પ્રવાસી જાતિઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો લાભ સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
રાષ્ટ્રીય પ્રવાસી સ્કોલરશીપનો ફાયદો એસસી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ સ્કોલરશીપ જનજાતિઓના મંત્રાલય તરફથી આપવામાં આવે છે.
ભણો પરદેશ સ્કોલરશીપ માઇનોરિટી મંત્રાલય તરફથી આપવામાં આવે છે. આ એક એવી યોજના છે જેનો ફાયદો દર વર્ષો સાડા 3 હજાર વિદ્યાર્થીઓ ઉઠાવે છે.
હંગરી સરકારના સહયોગથી ચલાવવામાં આવતા એક કાર્યક્રમ હેઠળ યુજીસી ત્યાં ભણવા માટે સ્કોલરશીપ આપે છે. દર વર્ષે 200 વિદ્યાર્થી આ યોજનાનો લાભ લે છે.
સાંસ્કૃતિક અને શૈક્ષમિક વિનિમય કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને તેમને ઇટલી, દક્ષિણ કોરિયા, ન્યૂઝિલેન્ડ અને યુ કે ભણવા માટે મોકલવામાં આવે છે.