મનમોહન સિંહ જેવા નથી પીએમ મોદી, યોગેન્દ્ર યાદવે શા માટે કહ્યું આવું?
હાલમાં મોદી સરકારની હાલત 2021ની મનમોહન સરકાર જેવી
ખેડૂત અને સીએએ આંદોલને બતાવી સામાન્ય માણસની તાકાત
બીજી લહેરમાં સરકારનું ખરાબ પ્રદર્શન
સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાયક અને સામાજીક કાર્યકર્તા રીતે પોતાની ઓળખ ધરાવતા યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે મોદીનો મેજીક હજુ પુરુ નથી થયું. આ સમયે દેશને એક વિકલ્પની જરૂર છે. જોકે તેમણે કહ્યું કે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કરતા ખૂબ અલગ છે. તે પોતાના અંતિમ સમય સુધી લડશે અને બાજી પલટી દેશે.
હવે તો મોદી ભક્તો પણ વિચારવા પર મજબૂર
બીજી લહેરમાં સરકારનું ખરાબ પ્રદર્શન
યાદવે વધુમાં જણાવ્યું કે સાતમી વર્ષગાંઠ પર મોદી સરકારનો જે ચહેરો જોવા મળી રહ્યો છે તે ખૂબ જ મુરજાયેલો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારે જે રીતે કામ કર્યું છે તે જોઈને લોકો હેરાન છે. લોકોએ પોતાને બચાવવા માટે હોસ્પિટલમાં જે ઘક્કા ખાધા છે અને ઓક્સિજન માટે જે રીતે સંઘર્ષ કર્યા છે તેના કારણે લોકોના મન પર સરકારને લઈને એક અનિચ્છનિય ભાવ ઉભો થયો છે. મોતના આંકડાઓએ મોદી ભક્તોને પણ એક વખત વિચારવા પર મજબૂર કરી દીધા છે. તે પણ માને છે કે સંકટના સમયે સરકારે સારૂ કામ નથી કર્યું. મોદીની જે છવી ઉભી થઈ હતી તેને અમુક અંશ સુધી હાની પહોંચી છે.
ખેડૂત અને સીએએ આંદોલને બતાવી સામાન્ય માણસની તાકાત
મોદી ભક્તો પણ હવે એ વાત માનવા લાગ્યા છે કે બધી વસ્તુઓ પર હવે મોદી સરકારનો નિયંત્રણ નથી. પરિસ્થિતિ તેમના કાબૂ બહાર જતી રહી છે. તેમને પણ લાગે છે કે મોદી જેટલા શક્તિશાળી વ્યક્તિ હતા તે હવે કદાચ એક મીથ હોઈ શકે. યાદવનું કહેવું છે કે સીએએ આંદોલને આપણને બતાવી દીધુ કે સામાન્ય માણસ પણ કઈ રીતે સરકારને પડકાર આપી શકે છે. ખેડૂત આંદોલને સરકારની વધી ઘટી આબરૂના પણ ધજાગરા ઉડાવી દીધા છે.
હાલમાં મોદી સરકારની હાલત 2021ની મનમોહન સરકાર જેવી
યાદવનું કહેવું છે કે હાલમાં મોદી સરકારને જોઈને 2021ની મનમોહન સરકારની યાદ આવે છે. તેણે કઈ રીતે પોતાનો ચાર્મ ખોયો હતો. મોદી સરકાર પોતાના જ જુઠાણાના પહાડ નીચે દબાઈ ગઈ છે. આવામાં વિપક્ષે ભેગા થઈને વેટ વોચની પોલિસી પર ચાલવું પડશે. પરંતુ એવું પણ થઈ શકે કે વિપક્ષ એક થઈ જશે તો મોદીને એવુ કહેવાની તક મળી જશે કે એકને મારવા માટે બધા ભેગા થઈને આવ્યા છે. તેના કારણે તેમને જ ફાયદો થશે.