મોદી સરકારના આજે સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સરકાર આ અવસર પર પોતે કાર્યકાળ દરમ્યાન કઈ કઈ સેવાઓ દેશ માટે કરી, તે ગણાવી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું કે દેશે સાત વર્ષોમાં ઘણું બધુ ગુમાવ્યું
કેન્દ્રમાં સાત વર્ષથી છે મોદી સરકાર
મોદી કોરોના સંકટ સામે એકદમ નિષ્ફળ રહ્યા : સર્વે
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું કે દેશે સાત વર્ષોમાં ઘણું બધુ ગુમાવ્યું
સરકારની ખોટી નીતિઓના કારણે, આજે દેશની અર્થવ્યવસ્થા એકદમ પડી ભાંગી છે. GDP માઇનસમાં જતો રહ્યો છે, 45 વર્ષોમાં સૌથી વધુ બેરોજગારી વધી ગઈ છે, કોરોનાના કારણે લોકો મરી રહ્યા છે, પણ સરકાર આ વાત પર ધ્યાન આપવાને બદલે એક દમ મૌન બેઠી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે સરકારે આ કોરોનાકાળ દરમ્યાન જે બેદરકારી રાખી છે તેના કારણે હવે પ્રજા પણ સમજી ગઈ છે કે આ સરકાર માત્ર ને માત્ર ભાષણ જ આપી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેર એકદમ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જે મોદી સરકારની નિષ્ફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે
The beginning of the end of the thriving Indian economy. In one fell sweep, PM Modi destroyed our greatest strength & to this day our people suffer for it. #7yearsOfModiMadeDisasterpic.twitter.com/5bBkGse9zf
કેન્દ્રમાં સાત વર્ષથી છે મોદી સરકાર
આજે 30 મે ના રોજ મોદી સરકારના કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપ દ્વારા સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં લઈ સેવા કાર્ય યોજાવા જઈ રહ્યો છે. ભાજપના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો અને કાર્યકરો કોરોના કાળમાં લોકોની મદદ કરવા માટે આજે સેવા કરશે. જેટલા પણ રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં આ કાર્ય થશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સીતાપુર, સિજહરી ગામના લોકોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
મોદી કોરોના સંકટ સામે એકદમ નિષ્ફળ રહ્યા : સર્વે
મોદી સરકારની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતાની વાત કરીએ તો તે કોરોના વાયરસ છે. આ સર્વેમાં ભાગ લેનાર લોકોમાં 44 ટકા લોકો માત્ર શહેરી વિસ્તારના છે. જેમનું કહેવું છે કે કોરોનામાં મોદી સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. બીજી બાજુ ગામડાના 40 ટકા લોકો પણ આ જ વાત કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો માટેના કાયદા અને ખેડૂતો માટે કામ ન કર્યું હોવાનું શહેરના 20 ટકા લોકોએ કહ્યું છે. જ્યારે ગામડાના 25 ટકા લોકો ખેડૂતોના મુદ્દાને નિષ્ફળતા ગણાવી છે. ચીનના મુદ્દાને 7 ટકા શહેરના અને 10 ટકા ગામડાના લોકોને નિષ્ફળતા ગણાવી છે.