ગૃહમંત્રી અમિત શાહે આજે નેશનલ પ્રેસ ડે નિમિત્તે કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે નિડર પત્રકારત્વની જરૂર છે.
અમિત શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે મોદી સરકાર પત્રકારોની આઝાદીને કચડવાવાળા તમામ તત્વોનો હંમેશાથી વિરોધ કરે છે. નોંધનીય છે કે ભારતમાં પ્રેસ પરિષદે 16 નવેમ્બર ૧૯૬૬થી વિધિવત રીતે કામ કરવાનું શરુ કર્યું હતું તેથી આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંંકૈયા નાયડુ આજે આ મુદ્દે એક સેમિનારમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રેસની આઝાદી અને નિડર પત્રકારત્વ વગર લોકતંત્ર જીવિત રહી શકે તેમ નથી. તેમણે કોરોનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ મહામારી દરમિયાન રિસ્ક લઇને દેશ સુધી ન્યુઝ અને સુચનાઓ પહોંચાડનારા તમામ પત્રકાર, કેમેરામેન અને મીડિયાકર્મીઓને દિલથી ધન્યવાદ!
અમિત શાહે શું કહ્યું?
Greetings on #NationalPressDay. Our media fraternity is working tirelessly towards strengthening the foundations of our great nation. Modi govt is committed towards the freedom of Press and strongly oppose those who throttle it.
I applaud Media’s remarkable role during COVID-19.
અમિત શાહે લખ્યું કે રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામનાઓ! આપણી મીડિયા દેશનો પાયો મજબૂત કરવા માટે થાક્યા વિના જોડાયેલી રહી છે. મોદી સરકાર પ્રેસની આઝાદી માટે પ્રતિબદ્ધ છે. મોદી સરકાર પત્રકારોની આઝાદીને કચડવાવાળા તમામ તત્વોનો હંમેશાથી વિરોધ કરે છે. કોરોના સમયમાં મીડિયાએ કરેલા કામની હું પ્રશંસા કરું છું.