કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દ્વારા છેલ્લા 25 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શનકારી ખેડૂતો કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ છે. ત્યારે હવે સરકાર ફરી વખત ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પ્રયાસ કરી રહી છે.
સરકારે ફરી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડુતોનું આંદોલન
આવતીકાલે ખેડૂતો એક દિવસની ભુખ હડતાળ કરશે
ક્રાતિકારી ખેડૂત યુનિયનના પ્રદેશ અધ્યક્ષ દર્શનપાલ અને 39 અન્ય ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કૃષિ મંત્રાલનેય પત્ર લખ્યો હતો. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે આના જવાબમાં આ સંગઠનોને ફરીથી વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે.
આવતીકાલે ભૂખ હડતાળ કરશે ખેડૂતો, હરિયાણામાં 25થી નહીં આપે ટોલ
સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત તમામ પ્રદર્શન સ્થળો પર 21 ડિસેમ્બરે ભૂખ હડતાળ કરશે. ત્યારે, ખેડૂત નેતા જગજીતસિંહે કહ્યું કે, હરિયાણાના ખેડૂત 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ નહીં આપે.
રાકેશ ટિકૈતની અપીલ- ખેડૂત દિવસના દિવસે ન બનાવે ભોજન
ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે છે. આ વખતે ખેડૂત દિવસ એવા સમયે આવ્યો છે, જ્યારે ખેડૂત નવા કૃષિ કાયદાઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અપીલ કરી છે કે ખેડૂત દિવસના દિવસે ભોજન ન બનાવે.
ખેડૂત સંગઠનોનો પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રીને ખુલ્લો પત્ર
ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક સંયુક્ત ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોને ખેડૂતોને વિપક્ષના ગુમરાહ કરવાના આરોપોને લઇને નારાજગી વ્યક્ત કરી છે. આ પત્રમાં પ્રધાનમંત્રીના આરોપો અને કૃષિમંત્રીના પત્રના જવાબમાં છે.