મોદી સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે જેના અંતર્ગત પતિ-પત્નીને 10,000 રૂપિયા જેટલી મોટી રકમ પેન્શન તરીકે મળી શકે છે.
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અટલ પેન્શન યોજના હેઠળ પતિ-પત્નીને મહિને 10,000 રૂપિયા પેન્શન તરીકે મળી શકે છે.
આ ફાયદાઓ મેળવી શકાશે
અટલ પેન્શન યોજના હેઠળ દેશના તમામ સેક્ટરના નાગરિકોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે. આ યોજનાનું નિયંત્રણ હાલ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. આ પેન્શન યોજના હેઠળ મહિને 1 હજારથી 5 હજાર રૂપિયા સુધીની રકમ દરેક લાભકર્તાને મળવાપાત્ર થશે. આમ આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળીને 10,000 રૂપિયા પેન્શન તરીકે મળી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ 1 હજાર રૂપિયા અથવા સબ્સ્ક્રાઇબર દ્વારા ભરવામાં આવેલી રકમ આ બે માંથી જે ઓછું હશે તે વાર્ષિક રકમ સ્વરૂપે ભરવામાં આવશે.
જાણી લો નિયમો
એપીવાય એ કર્મચારીઓ પર કેન્દ્રિત ભારતના નાગરિકો માટે એક જોરદાર પેન્શન યોજના છે. એપીવાય હેઠળ, ગ્રાહકોના યોગદાનને આધારે, 60 વર્ષની ઉંમરે 1000, 2000, 3000, 4000 અથવા 5000 ની લઘુતમ રકમના પેન્શનની ખાતરી આપવામાં આવશે. ભારતનો કોઈપણ નાગરિક એપીવાય યોજનામાં જોડાઈ શકે છે. નીચે આ યોજનામાં જોડાવા માટેના માપદંડ છે:
1) ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
2) ગ્રાહક પાસે પોસ્ટ ઓફિસ અથવા બેંક ખાતું હોવું જોઈએ
આ સિવાય ગ્રાહક એપીવાય એકાઉન્ટમાં સમયાંતરે અપડેટ્સની પ્રાપ્તિની સુવિધા માટે નોંધણી દરમિયાન બેંકને આધાર અને મોબાઇલ નંબર પણ આપી શકે છે. જો કે, નોંધણી માટે આધારકાર્ડ ફરજિયાત નથી.
કોઈ પણ બેંકના અકાઉન્ટ ધારકો માટે લાભદાયી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા જાહેર કરવામાં આવેલ બ્રોશરમાં જણાવાયું છે કે દરેક બેન્ક્ના ખાતાધારકો કે પોસ્ટઓફિસમાં અકાઉન્ટ ધારકો આ યોજનાનો લાભ મેળવી શકશે.