બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 3.0ની શપથ લેતા જ મોદી સરકાર એક્શનમાં, સતત 4 દિવસ સુધી એક પણ મંત્રી..., આપ્યો મોટો ટાસ્ક

મોદી સરકાર 3.0 / 3.0ની શપથ લેતા જ મોદી સરકાર એક્શનમાં, સતત 4 દિવસ સુધી એક પણ મંત્રી..., આપ્યો મોટો ટાસ્ક

Last Updated: 11:03 AM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Modi government 3.0 Latest News : મોદી સરકાર 3.0માં કેબિનેટ મંત્રી બનેલ જીતનરામ માંઝીએ કહ્યું, PM આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થામાં લાવવા માટે મક્કમ છે, આ માટે મંત્રીઓને કાર્ય આપ્યું

Modi government 3.0 : મોદી સરકાર 3.0ના શપથગ્રહણની સાથે જ નવી સરકારે કામ શરૂ કરી દીધું છે. મોદી સરકાર 3.0માં કેબિનેટ મંત્રી બનેલ જીતનરામ માંઝીનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. જીતનરામ માંઝીએ કહ્યું કે, આ વખતે પહેલા કરતા વધુ મુશ્કેલ પગલા ભરવા પડશે. PM આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થામાં લાવવા માટે મક્કમ છે, આ માટે મંત્રીઓને કાર્ય આપ્યું છે. મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે , અઠવાડિયાના પહેલા ચાર દિવસ દરમિયાન કોઈપણ મંત્રી તેમની ઓફિસ છોડશે નહીં.

મોદી સરકાર 3.0માં કેબિનેટ મંત્રી બનેલ જીતનરામ માંઝી કહ્યું કે, વડાપ્રધાને અમને ટાસ્ક આપ્યો છે કે તમે ચાર દિવસ- સોમવાર, બુધવાર, મંગળવાર અને ગુરુવાર સુધી હેડક્વાર્ટર છોડશો નહીં. સરકારી કામ છે, એમાં રોકાશો અને પછી તમારા વિસ્તારમાં જજો.

કોણ છે જીતનરામ માંઝી ?

79 વર્ષીય જીતન રામ માંઝી મોદી કેબિનેટમાં સૌથી વૃદ્ધ મંત્રી બની ગયા છે. માંઝીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના 23મા મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM)ના સ્થાપક પ્રમુખ છે. અગાઉ તેઓ નીતિશ કુમારની કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં ગયા બેઠક પરથી જીત્યા છે.

વધુ વાંચો : 'આગામી 10 વર્ષમાં જ...', પેટ્રોલ-ડીઝલથી ચાલતા વ્હીકલ્સને લઇ નીતિન ગડકરીનો મોટો દાવો

મોદી કેબિનેટમાં અન્ય કયા મંત્રીઓને મળ્યું સ્થાન

યુવા મંત્રીઓમાં ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી અને 71 મંત્રીઓએ રવિવારે શપથ લીધા. આ વખતે મોદી સરકાર 3.0માં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પાંચ વર્ષ બાદ કેબિનેટમાં પાછા ફર્યા છે જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પહેલીવાર કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મોદી કેબિનેટમાં નવો ચહેરો છે. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. પહેલા આ રેકોર્ડ જવાહરલાલ નેહરુના નામે હતો હવે નરેન્દ્ર મોદીના નામે પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Modi Government 3.0 Jitanram Manjhi Narendra Modi
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ