રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હવે ભ્રષ્ટાચાર નહી કરી શકે
ભ્રષ્ટાચાર અટકાવવા મોદી સરકારે લીધું મોટું પગલું
હાઈ-વે બનાવવામાં અધિકારી નહી આચરી શકે ભ્રષ્ટાચાર
મોદી સરકારે જાહેર કર્યો નવો સર્ક્યુલર
રાષ્ટ્રીય ધોરીમાર્ગની યોજનાઓમાં જે વિલંબ થઈ રહ્યો છે. તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા વલણ બદલવામાં આવ્યું છે. હવે ધોરીમાર્ગ પરિયોજનામાં સરકારને દર 6 મહિનામાં રિપોર્ટ આપવો પડશે. એટલુંજ નહી પરંતુ કંસલ્ટંટ, ઓથોરિટી એન્જીનિયર, પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ બધીજ પરિયોજનાઓનો રિપોર્ટ 31 ઓગસ્ટ સુધીમાં આપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. જો તેમા મોડું થયું તો સરકાર દ્વારા દંડાત્મક પગલા લેવાની પણ વાત કરવામાં આવી છે.
24 ઓગસ્ટે નવી પોલિસી જાહેર કરી
ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રધિકરણે 24 ઓગસ્ટે નવી પોલિસી જાહેર કરી છે. જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કંસલટંટ, ઓથોરિટી એન્જીનિયર ઘણી વાર રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાઓમાં બદલાવને લઈને એનએચઆઈ પાસે પ્રસ્તાવ મુકે છે. પરંતું એનએચઆઈના અધિકારીઓ તેના પર કોઈ નિર્ણય લીધા વગર તે પ્રસ્તાવ પરત આપી દે છે.
પ્રોજેક્ટમાં મોડું થયું તો ભરવો પડશે દંડ
કોન્ટ્રાક્ટરને બચાવા માટે એનએચઆઈ દ્વારા આ કામ કરવામાં આવે છે. કારણકે જો કોન્ટ્રાક્ટરની ભૂલને લઈને ધોરિમાર્ગ પરિયોજનમાં મોડુ થાય તો એનએચઆઈને મોટો દંડ ભરવો પડે છે. ઘણી વખત તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે છે. કારણકે પ્રોજેકટનો વધતો ખર્ચ NHAIને પાછળથી સહવ કરવો પડે છે.
કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર
નવી સર્કયુલર પોલીસીમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે NHAIના અધિકારીઓ ઘણી વખત બદલાવને નામે ક્લેમનો દાવો કરે છે. પ્રોજેક્ટ પુરો થાય ત્યારબાદ કોન્ટ્રાક્ટર ક્લેમને કોર્ટમાં નાખે છે. જેથી ક્લેમના કરોડો રૂપિયા ઠેકેદારને મળતા હોય છે.
NHAIએ આપ્યા મોટા આદેશ
ઉલ્લેખનીય છે કે નવી સર્ક્યુલર પોલિસી જાહેર થયા બાદ કંન્સલટંટ, ઓથોરિટી એન્જીનિયર અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને બધા પ્રોજેક્ટોનો રિપોર્ટ સોપવા માટે NHAIએ આદેશ આપ્યો છે. વધતા જતા ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા આ નવી સર્ક્યુલર પોલીસી જાહેર કરવામાં આવી છે.