કોરોનાના કેસ ઘટતાની સાથે દરેક રાજ્યો દ્વારા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર દ્વારા દરેક રાજ્યોને સૂચના આપવામાં આવી કે પરિસ્થિતીને જોયા બાદ પ્રતિબંધો હટાવામાં આવે.
કેસ ઘટતાની સાથે દરેક રાજ્યોમાં પ્રતિબંધો પણ ઘટ્યા
પ્રતિબંધો ઘટતાની સાથે કેન્દ્રએ રાજ્યોની આપી મોટી સલાહ
દરેક પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો હટાવામાં આવે: કેન્દ્ર
કોરોનાની ત્રીજી લહેરના કહેર હવે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ઘણા બધા રાજ્યોમાં કેસો ઓછા થયા છે. જેથી પ્રતિબંધો પણ ધીરે ધીરે ઘટી રહ્યા છે. પરંતુ ઓમિક્રોન વેરિએંટ હજુ પણ એક ચિંતાનો વિષય છે. જેથી કેન્દ્ર સરકાર દ્રારા દરેક રાજ્યોને તેજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સાવધાની રાખવા કહેવામાં આવ્યું છે.
ત્રીજી લહેરમાં લોકો જલ્દી રિકવર થયા
ગૃહ સચિવ અજય ભલ્લાએ દરેક રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમા તેમણે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ઓમિક્રોન વેરિએંટને કારણે દેશમાં કોરોનાના કેસ એકાએક વધ્યા હતા. જોકે જે પણ દર્દીઓ પોઝિટીવ આવ્યા હતા તેમાના મોટા ભાગના દર્દીઓ જલ્દી રિકવર પણ થઈ ગયા હતા. ખુબજ ઓછા દર્દીઓ એવા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
407 જિલ્લાઓમાં 10 ટકાથી વધું પોઝિટિવિટી રેટ
હાલની પરિસ્થિતી પ્રમાણે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 407 જિલ્લાઓમાં 10 ટકા કરતા પણ વધારે પોઝિટિવિટી રેટ છે જેથી હજુ પણ સાવધાની રાખવી ઘણી જરૂરી છે. ગૃહમંત્રાલય દ્વારા દરેક રાજ્યોને કહેવામાં આવ્યું છે કે કોરોના પ્રોટોકોલનું પાલન કરાવામાં આવે.
વેક્સિનેશન પર ભાર આપવા ચૂચના
ગૃહ સચિવ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે. તેમા દરેક એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રતીબંધો કોરોનાની પરિસ્થિતીને જોઈને હટાવામાં આવે સાથે હોસ્પિટલોમાં પણ પરિસ્થિતી કેવી છે તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો હટાવામાં આવે. આ ઉપરાંત પત્રમાં વેકેસિનેશન પર પણ ભાર આપવામાં આવ્યો છે. જેમા પહેલાની સરખામણીએ પાંચ ગણી સ્પીડથી વેક્સિનેશન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
કોરોના પ્રોટોકોલનું ફરજિયાત પાલન કરાવામાં આવે
ઉલ્લેખનીય છે કે પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના પ્રોટોકોલનું કડક રીતે પાલન કરાવામાં આવે. જાહેર સ્થળોએ તેમજ સભાઓમાં સોશિયલ ડિસટન્સ રાખવામાં આવે. સાથેજ પણ દરેક જગ્યાએ દરેક વ્યક્તિ ફરજિયાત પહેરે તેને લઈને પણ આદેશ આપવામાં આવ્યા છે.