મોદી સરકાર છેલ્લા 8 વર્ષમાં ગુલામીના એ પ્રતીકોને સતત હટાવી રહી છે, જે દેશને બ્રિટિશ કાળની ગુલામીની યાદ અપાવે છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં બદલાવ આવ્યા છે.
સરકારે ગુલામીના ઘણા પ્રતીકોને હટાવ્યા
નેવીના ધ્વજમાં રહેલ રેડ ક્રોસને હટાવ્યો
બીજા 1500થી વધુ કાયદાઓને નાબૂદ કર્યા
મોદી સરકાર છેલ્લા 8 વર્ષમાં ગુલામીના એ પ્રતીકોને સતત હટાવી રહી છે, જે દેશને બ્રિટિશ કાળની ગુલામીની યાદ અપાવે છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય નૌસેનાનો નવો ઝંડો કે નિશાન જાહેર કર્યું હતું. નવા ધ્વજમાં અષ્ટકોણીય સરહદો શિવાજી મહારાજ રાજમુદ્રા અથવા છત્રપતિ શિવાજી મહારાજની મહોરમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. તે શિવાજીની દ્રષ્ટિનું પરિણામ હતું કે તેમણે વિશ્વસનીય નૌકાદળનો કાફલો બનાવ્યો. અને હવે તેણે બ્રિટીશ યુગના પ્રતીક સેન્ટ જ્યોર્જ ક્રોસનું સ્થાન લીધું છે.
કેવું છે નવું ચિહ્ન
ધ્વજ અથવા પ્રતીક ભારતના ગૌરવશાળી ઇતિહાસની વીરતાભરી ગાથા ધરાવે છે અને સંસ્થાનવાદથી મુક્તિનું પ્રતીક છે. ત્રિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે. સાથે જ તેની બાજુમાં આવેલા બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સિમ્બોલ છે, જેની નીચે 'સત્યમેવ જયતે' લખેલું છે. અશોકનું પ્રતીક જેના પર છે તે ખરેખર છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર છે. નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં 'शं नो वरुणः' લખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે 'વરુણા અમારા માટે શુભ રહે'. આપણા દેશમાં વરુણાને સમુદ્રના દેવતા માનવામાં આવે છે. એટલે આ વાક્ય નેવીના નવા નિશાન પર લખવામાં આવ્યું છે. .
આ પહેલા રેડ ક્રોસ ચિન્હનો ઉપાયોગ થતો
1 સપ્ટેમ્બર સુધી, ભારતીય નૌકાદળના નિશાન પર સફેદ રંગના આધારે લાલ ક્રોસ હતો. જે સેન્ટ જ્યોર્જનું પ્રતીક છે. ધ્વજના ઉપરના ખૂણામાં ત્રિરંગો બનાવવામાં આવે છે. વળી, ક્રોસની વચ્ચે અશોકનું ચિહ્ન હોય છે. જેની નીચે સત્યમેવ જયતે લખ્યું હતું.
પીએમ મોદીએ ગુલામીના નિશાન હટાવવાની વાત કરી હતી
અગાઉ પ્રધાનમંત્રીએ આઝાદીની વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી પંચની પ્રતિજ્ઞાઓમાં ગુલામીના સંકેતોમાંથી મુક્તિની વાત પણ કરી હતી. અને જો તેમના છેલ્લા 8 વર્ષના શાસનની વાત કરીએ તો તેમણે આવા વારસાને દૂર કરવા માટે ઘણા નિર્ણયો લીધા છે, જે હજુ પણ ગુલામીના વારસામાં ચાલી રહ્યા હતા.
આ 7 મુખ્ય ફેરફારો કર્યા
26 જાન્યુઆરી, 2022 ના રોજ, બીટિંગ ધ રિટ્રીટ સમારંભે સ્કોટિશ કવિ હેનરી ફ્રાન્સિસ લિટ્ટે દ્વારા રચિત 'અબાઈડ વીડ મી' સૂરને દૂર કરીને કવિ પ્રદીપ દ્વારા 'એ મેરે વતન કે લોગોન' ને રાખવામાં આવ્યું હતું.
23 જાન્યુઆરી, 2022 ના રોજ, ઇન્ડિયા ગેટ પર હાલની છજામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેના પર આગળ જતા પ્રતિમા સ્થાપિત થવાની છે.
માર્ચ 2022 માં શહીદ દિવસ નિમિત્તે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બીપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું
આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસે કેન્દ્રીય બજેટ યોજાતું હતું. ફેબ્રુઆરી 2017થી અરુણ જેટલીએ ફેબ્રુઆરીના પહેલા દિવસે જ તેની શરૂઆત કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા દિવસે બજેટ રજૂ કરવાનું કારણ યુકેના બજેટ સાથે જોડાયેલું હતું.
અત્યાર સુધીમાં બ્રિટિશ યુગના 1500થી વધુ કાયદાઓને નાબૂદ કરવામાં આવ્યા છે.
રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું હતું.
આજે ભારતીય નૌકાદળના ચિન્હમાં બદલાવ કરીને જૂની રૂઢીમાંથી મુક્તિ મળી છે.