કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પણ RBI નો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો અને હજી પણ RBI નો ઉપયોગ કઠપૂતળી તરીકે કરવામાં આવી રહ્યો છે. અને કોંગ્રેસ તેનો વિરોધ કરે છે.
ઉદ્યોગપતિઓને બેંકના દેવાની ટીકા કરી
આ પહેલા પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને પણ કરી હતી ટીકા
RBI ને સરકારની કઠપૂતળી ગણાવી
RBI ની એક પેનલે તાજેતરમાં કોર્પોરેટ ગૃહોને બેંકો સ્થાપવાની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ ભલામણની RBI ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા ટીકા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે આ સમગ્ર મુદ્દા પર, કોંગ્રેસે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સરકાર પર નિશાન સાધ્યું હતું. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે અમે તેને જનહિત માટે ઘાતક માનીએ છીએ.
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધ કર્યો
પી ચિદમ્બરમે કહ્યું કે RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને વિરલ આચાર્યએ કેન્દ્ર સરકાર અને RBI ના આંતરિક કાર્યકારી જૂથને બેંક ખોલવાની મંજૂરીની ભલામણનો સખત વિરોધ કર્યો હતો. અમે તેમના નિવેદનને સમર્થન આપીએ છીએ. કોંગ્રેસ અ મુદ્દાનો વિરોધ કરે છે અને તેને જનહિત માટે ઘાતક માને છે.
RBI ને સરકારની કઠપૂતળી ગણાવી
તેમણે કહ્યું કે નોટબંધી દરમિયાન પણ RBI નો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને હજી પણ RBI નો ઉપયોગ કઠપૂતળી તરીકે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તેનો વિરોધ કરે છે.
મહત્વનું છે કે RBI એ 50 હજાર કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અને તે NBFC ને બેંકિંગ લાઇસન્સ આપવાની ભલામણ કરી છે, જેમનો ઓછામાં ઓછો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને મોટા કોર્પોરેટ હાઉસને પણ બેન્ક ખોલવાની પરમિશન આપવાની ભલામણ કરાઇ છે. નોંધનીય છે કે આ અગાઉ પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ આ નિર્ણયની ટીકા કરી ચૂક્યા છે.