ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન એટલે ગગનયાન. ઈસરોએ આ પ્રોજેક્ટ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. અને વર્ષ 2020-21માં આ પ્રોજેક્ટ પાછળ 4257 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. આ માટે ઈસરોએ સરકાર પાસે ફંડ માગ્યું હતું. જેમાંથી સરકારે માત્ર 1200 કરોડ રૂપિયા જ આપ્યા છે. એટલે કે મોદી સરકારે 30 ટકા જેટલુ જ ફંડ આપ્યું છે.
રૂ. 4257 કરોડના બજેટમાં થશે ગગનયાત્રા
ભારતના 3 લોકો 7 દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે
મોદી સરકારે આપ્યું ફક્ત 30 ટકા ફંડ એટલે કે 1200 કરોડ રૂપિયા
આ વિભાગ સાથે જોડાયેલા સાયન્સ એન્ડ ટેકનોલોજી, પર્યાવરણ, વન અને જળવાયૂ પરિવર્તન પર સંસદીય સમિતિએ શુક્રવારના રોજ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે ગગનયાન પ્રોજેક્ટ દેશ માટે ઘણો મહત્વનો પ્રોજેક્ટ છે. જેની ગ્લોબલ વેલ્યૂ પણ છે. પણ બજેટમાં આ પ્રોજેક્ટ માટે ખાસ રસ દેખાતો નથી. આ સમિતિએ ભલામણ કરી છે કે ગગનયાન પ્રોજ્કટ માટે 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે.
ગગનયાન પ્રોજેક્ટમાં આ દેશ કરશે ભારતની મદદ
ઈસરોએ 2020ના અંત સુધીમાં બે માનવરહિત ફ્લાઈટ બનાવવાનો નિર્ણય કર્યો છે. 15 ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર ગગનયાન પ્રોજેક્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ મિશન અંતર્ગત ભારતના 3 લોકો 7 દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે. આ મિશનમાં રશિયા અને ફ્રાંસ ભારતની મદદ કરશે. ભારત આ સિદ્ધી મેળવનારો દુનિયામાં ચોથો દેશ બની જશે. જો કોઈ દુર્ઘટના થશે તો, યાત્રિઓ કેપ્સૂયલમાં બેસીને ધરતી પર આવી શકશે.
આટલા બજેટમાં થશે ગગનયાત્રા
ભારતનું પ્રથમ અંતરિક્ષ માનવ મિશન એટલે ગગનયાન.
ગગનયાન પ્રોજેક્ટ માટે મોદી સરકારે અડધા રૂપિયા પણ નથી આપ્યા.
2020-21માં પ્રોજેક્ટ માટે ઈસરોએ માગ્યા હતા રૂપિયા.
મોદી સરકારે 30 ટકા ફંડ જ આપ્યું છે.
ઈસરોનું લક્ષ્ય 2022 સુધીમાં ભારતના અંતરિક્ષયાત્રીઓ અને ક્રૂ મેમ્બરને સ્પેસમાં મોકલવાનું છે.