મોદી સરકારે કોરોના પ્રભાવિત બાળકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સનું એલાન કર્યું છે. 5 લાખ સુધી બાળકોને ફ્રી વીમો મળશે.
કોરોના વાયરસ વચ્ચે વડાપ્રધાનની મોટી જાહેરાત
બાળકોને આપશે 5 લાખનો ફ્રી વીમો
અનાથ બાળકોને યોજનામાં આવરી લેવાશે
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. આયુષ્માન યોજના હેઠળ બાળકોને 5 લાખ રુપિયા સુધીનો ફ્રી વીમો આપવામાં આવશે અને તેનું પ્રીમિયમ સરકાર તરફથી ભરવામાં આવશે.
આ બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે સરકારે આ યોજનાની ઘોષણા કરી છે. જેના હેઠળ 18 વર્ષની ઉંમર સુધી બાળકોને મફત ઇલાજ મળશે. સરકાર બાળકોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપી રહી છે. 23 વર્ષના બાળકોને 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે. આ યોજના વિશેની વધુ માહીતી pmcaresforchildren.in પર મળી જશે.
તમને જણાવી દઇએ કે, દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કારણે બાળકો અનાથ થઇ ગયા છે અને તેમની સુરક્ષા માટે સરકારે આ સ્કીમને લાગૂ કરી છે. હરિયાણા સરકારે આવા બાળકોને માસિક 2500 રૂપિયા આપવાની ઘોષણા પણ કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે પણ આવા બાળકો માટે હેલો મુસ્કાનની શરૂઆત કરી છે. યુપી સરકારે યુનિસેફ સાથે હાથ મિલાવીને આ અભિયાન ચલાવવાની શરૂઆત કરી છે.