મોદી સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારને ટૂંક જ સમયમાં એક સારી ગિફ્ટ આપવા જઇ રહી છે. જેનાથી પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર કરોડો કર્મચારીઓને લાખો રૂપિયાનો ફાયદો થઇ શકે છે. મોદી સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં ગ્રેચ્યુઇટી માટે ન્યૂનતમ સર્વિસના સમયગાળાને 3 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. એટલે જો કોઇ કર્મચારીએ કોઇ કંપનીમાં 3 વર્ષ સુધી નોકરી કરી લીધી છે તો તેને ગ્રેચ્યુઇટી મળશે. વર્તમાન સમયમાં ગ્રેચ્યુઇટી માટે ન્યૂનતમ 5 વર્ષનો સમયગાળો છે.
લેબર મિનિસ્ટ્રીએ ઇન્ડસ્ટ્રીથી માંગી સલાહ:
ટ્રેડ યૂનિયન લાંબા સમયથી પ્રાઇવેટ સેક્ટરમાં ગ્રેચ્યુઇટી માટે સર્વિસના સમયને ઘટાડવાની માંગ કરી છે. ટ્રેડ યૂનિયનના પદાધિકારીઓએ કહ્યું છે કે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીને લઇ અનિશ્ચતતા સતત વધી રહી છે. તે સિવાય કર્મચારી પણ ઝડપથી નોકરી બદલતા રહે છે. પરંતુ ગ્રેચ્યુઇટી માટે 5 વર્ષની નોકરી જરૂરી છે. એવામાં 5 વર્ષ પહેલા નોકરી બદલનાર કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનું નુકસાન થાય છે. લેબર મિનિસ્ટ્રીએ આ વિષયમાં હેન્ડસ્ટ્રીથી રાય માંગી છે કે ગ્રેચ્યુઇટીનો સમય ઘટાડવાથી તેનો શું પ્રભાવ પડશે.
30 દિવસની સેલરી પર નક્કી થશે ગ્રેચ્યુઇટી:
તે સિવાય લેબર મિનિસ્ટ્રી ગ્રેચ્યુઇટીની ગણતરી કરવાની પ્રક્રિયામાં પણ બદલાવ કરવાનો વિચાર કરી રહી છે. તે હેઠળ ગ્રેચ્યુઇટીની ગણતરી 30 દિવસની સેલરી પર કરવામાં આવશે. વર્તમાન સમયમાં પ્રાઇવેટ સેક્ટરમાં કર્મચારીની 15 દિવસની સેલરી પર ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવે.
શું છે ગ્રેચ્યુઇટી:
ગ્રેચ્યુઇટી કર્મચારીના વળતર એટલે સેલરીનો એક ભાગ છે જે કંપની અથવા તમારા એમ્પ્લોયર તમારી વર્ષોની સર્વિસના બદલે આપે છે ગ્રેચ્યુઇટી એક એવી ફાયદાકારક યોજના છે જે રિટાયરમેંટ લાભોનો ભાગ છે અને નોકરી છોડવા થવા સમાપ્ત થવા પર કર્મચારીઓને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે.