ખેડૂતોને રાહત આપવાની દિશામાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ પાકોની એમએસપીને મંજૂરી આપી દીધી છે.
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર
મોદી કેબિનેટમાં ખરીફ પાકોની એમએસપીમાં થયો વધારો
5 થી 20 ટકાનો વધારો
ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે
મકાઈની એમએસપીમાં પણ થશે વધારો
ખેડૂતો માટે મોટા સમાચાર
કેન્દ્રીય કેબિનેટે ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે આયોજિત મોદી સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP હવે વધશે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.
MSPમાં કેટલો વધારો
, વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP 5 થી 20%નો વધારો થયો છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે. બીજી બાજુ, કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
આ વખતે MSP સૌથી વધુ વધે તેવી શક્યતા
2018-19 સીઝન પછી, આ વખતે MSP સૌથી વધુ વધે તેવી શક્યતા છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવશે. આ સિઝનમાં કુલ 14 પાકોની MSP વધારવામાં આવશે. એવી પણ ચર્ચા છે કે સરકાર કઠોળ અને તેલીબિયાં પાકોમાં મહત્તમ વધારો કરી શકે છે.
MSP શું છે?
MSP- લઘુત્તમ ટેકાના ભાવ એ લઘુત્તમ કિંમત છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. તે પણ સમજી શકાય છે કે સરકાર ખેડૂતને તેની પાસેથી ખરીદેલા પાક પર જે નાણાં ચૂકવે છે તે MSP છે. આની નીચે ખેડૂતોને તેમના પાક માટે ચૂકવણી કરવામાં આવતી નથીરવી અને ખરીફ સિઝનમાં વર્ષમાં બે વખત કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન (CACP)ની ભલામણ પર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે.
MSP દર વર્ષમાં બે વાર નક્કી કરવામા આવે છે.
દર વર્ષે ખેતીનો ખર્ચ વધતો જાય છે. ડીઝલના ભાવ વધવાથી સિંચાઈ અને ખેડાણ પાછળનો ખર્ચ વધે છે. સાથે જ ખાતર, બિયારણ અને ખેત મજૂરીનો ખર્ચ પણ વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કૃષિ ખર્ચ અને કિંમત પંચની ભલામણને આધારે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત પાકની એમએસપી નક્કી કરે છે. ખરીફ ઋતુ શરૂ થાય તે પહેલા જ ખરીફ પાકની એમએસપી જાહેર કરવામાં આવે છે.