સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટના મોરચે મોદી સરકાર ઝડપી નિર્ણયો લઈ રહી છે. સરકારે બીપીસીએલ સહિત પાંચ કંપનીઓના ડિસઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ કંપનીઓમાં મેનેજમેન્ટ કંટ્રોલ છોડવાનો નિર્ણય સરકારે લીધો છે. મોટી વાત એ છે કે નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનમાં 100% ડિસઇન્વેસ્ટમેન્ટ થશે. સરકારે કૉનકૉરમાં 30.8 ટકા ભાગીદારી વેચવાનો નિર્ણય લીધો છે.
BPCL સહિત 5 કંપનીની ભાગીદારી વેચશે
હાલ BPCLમાં સરકારની 53.29% ભાગીદારી છે
સરકાર કંપનીઓમાં મેનેજમેન્ટ જાળવી રાખશે
બીપીસીએલ અને નૉર્થ ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન સિવાય અન્ય ત્રણ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ (વિનિવેશ) નો નિર્ણય કરવામાં આવ્યો છે, તે છો શિપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને THDCIL છે. બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) નું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ થશે.
નિર્મલા સીતારામનનું મોટું એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) ને નુમાલીગઢ રિફાઇનરીમાં અલગ રાખવામાં આવી છે, જેમાં સરકાર વિનિવેશ કરશે. સરકારે BPCLમાં 53.29 ટકા ભાગીદારના વિનિવેશનો નિર્ણ કર્યો છે, જેમાં નુમાલીગઢ રિફાઇનરીની 61 ટકા ભાગીદારી સામેલ નથી.
FM Nirmala Sitharaman:Cabinet has approved strategic disinvestment of Bharat Petroleum Corporation Limited, of Govt of India share holding of 53.29% along with transfer of certain management control.This is excluding BPCL's equity share holding of 61% stake in Numaligarh Refinery pic.twitter.com/R9WxfUuXhB
આ સાથે જ નાણામંત્રીએ કહ્યું છે કે ડુંગળીના વધતા ભાવો વચ્ચે કેબિનેટે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી છે.
BPCL પર કેબીનેટની મહોર
ત્યારે નફામાં ચાલી રહેલ ભારત પેટ્રોલિયમનો ભાગ વેચવાથી સરકારને અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની મોટી રકમ મળી શકે છે.
જોકે કેબિનેટની બેઠક પૂર્વે નાણાં મંત્રીએ કહ્યું હતું કે કંપનિઓના વિનિવેશ માર્ચ 2020 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.05 લાખ કરોડ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તો BPCLના વેચાણ સાથે, તેને આ લક્ષ્યાંકનો આશરે 60 ટકા ભાગ મળશે.
BPCLનો નફો 7,132 કરોડ રૂપિયા હતો
ગત 30 સપ્ટેમ્બરના રોજ ડિસઇન્વેસ્ટમેન્ટ પર રચાયેલી સચિવોની એક મુખ્ય ટીમે ભારત પેટ્રોલિયમ હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી. બીપીસીએલ એક નફાકારક કંપની છે, તેથી સાઉદી અરામકો, રોઝનેફ્ટ, કુવૈત પેટ્રોલિયમ, એક્ઝોન મોબિલ, શેલ, કુલ એસએ અને અબુધાબી નેશનલ ઓઇલ કંપની જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેનો હિસ્સો ખરીદવા માટે બોલી લગાવી શકે છે. નાણાકીય વર્ષ 2018-19માં બીપીસીએલનો નફો 7,132 કરોડ રૂપિયા હતો.