કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા રદ્દ કરવાનું એલાન કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્યારે આ અંગે અમદાવાદ, સુરત અને વડોદરાના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી હતી.
ત્રણ કૃષિ કાયદાને PM નરેન્દ્ર મોદીએ પરત ખેંચ્યા
અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ નિર્ણયને આવકાર્યો
ખેડૂતોએ કહ્યું સરકારે ખેડૂતોનું હિત જોયું
ત્રણ કૃષિ કાયદાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછો ખેંચી લીધો છે. દિલ્હીની અલગ અલગ બોર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક વર્ષ પુરુ થતા પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીના એલાન બાદ દેશભરના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ અંગે ગુજરાતના ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ નિર્ણયને આવકાર્યો
અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ 3 નવા કૃષિ કાયદા રદ્દ કરવાના મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ખેડૂતોએ કહ્યુ નિર્ણય કરવામાં 1 વર્ષનો વિલંબ થયો. અમદાવાદના ખેડૂતોએ જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા હતા.
ખેડૂતોએ કહ્યું સરકારે ખેડૂતોનું હિત જોયું
તો કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે સુરતના ખેડૂતોએ સાથે VTVએ ખાસ વાત કરી હતી. જ્યારે વડોદરાના ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. ખેડૂતોએ કહ્યું સરકારે ખેડૂતોનું હિત જોયું છે. APMC જીવંત રહેશે. આંદોલનમાં મૃત્યુ પામનારા ખેડૂતોના આત્માને શાંતિ મળશે. વડોદરાના ખેડૂતોએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.