મોદી સરકારનું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન 31 ઓક્ટોબર સુધી ચાલશે જે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે.
ભારત સરકારને ફળ્યું સ્વચ્છતા અભિયાન
કચરો વેચીને અત્યાર સુધીમાં 252 કરોડ રૂપિયાની થઈ આવક
ઈલેક્ટ્રોનિક કચરો અને નકામી ફાઈલોને નષ્ટ કરવાની કામગીરી
સ્વચ્છતા અભિયાન 2.0: મોદી સરકારે ગાંધી જયંતિ (Gandhi Jayanti) એટલે કે 2 ઓક્ટોબરથી સરકારી કચેરીઓ (Government Offices)માં સ્વચ્છતાનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલશે. અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં ઈલેક્ટ્રોનિક કચરો અને નકામી સરકારી ફાઈલોને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાનને લઈને ખૂબ જ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે.
252 કરોડ રૂપિયાની થઈ આવક
આ અભિયાનનું સંચાલન કરી રહેલા કર્મિક મંત્રાલયના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયોમાં કચરાના નિકાલથી સરકારને અત્યાર સુધીમાં 252 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ અભિયાન 31 ઓક્ટોબર સુધી જારી રહેશે, તેથી આ આંકડો હજુ વધી શકે છે. ગયા વર્ષે આ પ્રકારના એક અભિયાનમાં સરકારે કચરો વેચીને 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ઇલેક્ટ્રોનિક કચરો પણ સામેલ
કાર્મિક મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોમ્પ્યુટર અને અન્ય પ્રકારના ઈલેક્ટ્રોનિક કચરા સિવાય સરકારી ઓફિસોમાં બિનઉપયોગી બની ગયેલી ફાઈલોને પણ હટાવવામાં આવી રહી છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં માત્ર કેન્દ્રીય સચિવાલયમાં જ 40 લાખથી વધુ ફાઇલોને નિષ્ટ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી લગભગ 31 લાખ ઈ-ફાઈલો છે જ્યારે 8 લાખથી વધુ પેપર ફાઈલો છે.
કચરો સાફ થવાના કારણે 37.19 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી
બીજી ચોંકાવનારી વાત એ છે કે ઓફિસોમાં કચરો સાફ કરવાને કારણે 37.19 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઈ ગઈ છે, જેનો ઉપયોગ અલગ-અલગ વસ્તુઓ માટે થઈ રહ્યો છે. જેમાં લાયબ્રેરી અને કેન્ટીનથી લઈને બ્યુટીફીકેશનની કામગીરીનો સમાવેશ થાય છે. ગાંધી જયંતિના દિવસે શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન 31 ઓક્ટોબર એટલે કે સરકાર પટેલની જન્મજયંતિ સુધી ચાલશે. કેન્દ્ર સરકારના કાર્યાલયો અને એકમો સિવાય આ અભિયાન તમામ રાજ્ય સરકારો અને રાજભવન સુધી ચલાવવામાં આવી રહ્યું છે.