ઈમાનદાર કરદાતાઓને મોદી સરકારે નવરાત્રીને લઇને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ઈમાનદાર કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટની સુવિધા મળવા લાગશે. આનો મતબલ આ છે કે અત્યારે કોઇ પણ મામલાઓમાં કરદાતાઓને અધિકારીઓની સામે રજૂ નહીં થવું પડે.
8 ઓક્ટોબરથી ફેસલેસ એસેસમેન્ટની સુવિધા મળશે
કરદાતાઓએ અધિકારીઓ સામે હવે રજૂ નહીં થવું પડે
તાત્કાલિક જ રજિસ્ટર્ડ મોબાઇલ પર કરદાતાઓને મેસેજ મળશે
8 ઓક્ટોબરથી આયકર વિભાગ સમગ્ર રીતે થઇ જશે ઓનલાઇન
8 ઓક્ટોબરથી કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટની સુવિધાઓ મળવાની શરૂ થઇ જશે. આ હેઠળ જે પણ કાર્યવાહી થશે તે નેશનલ ઈ-એસેસમેન્ટ પોર્ટલ દ્વારા થશે. હવે કોઇ પણ કરદાતાને વ્યક્તિગત રીતે આયકર વિભાગની ઓફિસ જવાની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારના રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેય અને સીબીડીટી ચેરમેન પ્રમોદ ચંદ્ર મોદીએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.
નેશનલ ઇ-એસેસમેન્ટ સુવિધાથી કરદાતાઓની ફરિયાદોમાં ઘટાડો આવશે અને વેપારને સરળ બનાવવામાં મદદ મળશે. આ સિવાય ટેક્સપેયર્સને રજિસ્ટર્ડ ઈ-મેઇલ અને વેબ પોર્ટલ પર લૉગિન કરવા પર સૂચનાઓ મળશે. તાત્કાલિક જ રજિસ્ટર્ડ મોબાઇલ પર કરદાતાઓને મેસેજ મળશે.
કરદાતા પોતાના ઘર કે ઑફિસથી આનો જવાબ આપી શકશે અને તેને સંબંધિત વેબ પોર્ટલ પર અપલોડ કરવા પોતાનો જવાબ ઇ-મેઇલ દ્વારા ડાયરેક્ટ ઇ-એસેસમેન્ટ સેન્ટર મોકલી શકાશે.