ભારતમાં અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ સરકાર કહી રહી છે કે તે ખેડૂતોની આવક બે ગણી કરવા માંગે છે. બીજી તરફ સરકારે ઘણા વર્ષોથી ખેડૂતોની સરેરાશ આવક કેટલી છે તેના પર તો કોઈ આંકડા જાહેર જ નથી કર્યા.
2014-15માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન 18.2 ટકા હતું
2016-17માં ખેતીની વિકાસ દર 6.3 ટકા હતી જે ઘટીને 2.8 ટકા થઇ
જોકે સરકાર હવે ખેડૂતોની સરેરાશ આવક મુદ્દે કોઈ આંકડા જાહેર કર્યા નથી
આર્થિક સર્વેના ચેપ્ટર સાતમાં ખેતી વિષયક જે વાત બતાવવામાં આવી છે તે અનુસાર 2014-15માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન 18.2 ટકા હતું જ્યારે વર્ષ 2019-20માં તે ઘટીને 16.5 ટકા થઇ ગઈ. 2014-15થી લઈને આજ સુધી જોઈએ તો ખેતીમાં વિકાસ દર પહેલા જેવી નથી રહી. વર્ષ 2016-17માં ભારતમાં ખેતીની વિકાસ દર 6.3 ટકા હતી જે 2019-20માં 2.8 ટકા હતી ગઈ છે.
જોકે ખેડૂતોની આવક કેટલી છે તેના પર સરકાર પાસે કોઈ ડેટા નથી. ફાઈનેન્શીયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર વર્ષ 2015-16 બાદ ખેડૂતોની સરેરાશ આવક પર જે માહિતીઓ આવતી હતી તે બંધ કરી દેવામાં આવી. આમ ખેડૂતોની આવક મુદ્દે કોઈ ડેટા નથી. વર્ષ 2018માં રાજ્યસભામાં જ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે હરિયાણાના ખેડૂતોની આવક સૌથી વધારે છે જે મહિના 14,434 રૂપિયા છે.
આર્થિક સર્વે અનુસાર વિશ્વમાં કૃષિના વેપારમાં ભારતનું યોગદાન 2.15% છે. ખેતી ઉત્પાદક વસ્તુઓની નિકાસ ભારત અમેરિકા, સાઉદી અરબ, ઈરાન, નેપાળ અને બાંગ્લાદેશમાં કરે છે. ભારતમાં આર્થિક સુધારાઓ બાદથી ખેતી વિષયક વસ્તુઓની નિકાસ કરવામાં આવી છે.
નોંધનીય છે કે હાલમાં જ મોદી સરકાર ખેડૂતો માટે ત્રણ બિલ લઈને આવી છે જેનો દેશના વિવિધ ભાગોમાં વિરોધ થઇ રહ્યો છે. સરકાર સમજાવી રહી છે કે આ બિલ ખેડૂતો માટે આવશ્યક અને ફાયદાકારક છે અને તેનાથી કોઈ નુકસાન થવાનું નથી. ખેડૂતોને આશંકા છે કે પોતાના પાક પર તેમને ન્યૂનતમ સમર્થન મૂલ્ય નહીં મળે. જોકે સરકાર કહી રહી છે કે આવું નહીં થાય અને MSP મળતી જ રહેશે. રાષ્ટ્રના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે કે જ્યારે તે સત્તામાં હતા ત્યારે કેમ કોઈ કાયદો ન બનાવ્યો.