દેશમાં જ્યાં એક બાજુ નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન કેટલાક સ્થળો પર હિંસક બન્યુ છે ત્યારે મોંઘવારી, બેરોજગારી, મંદી અને ખેડૂતોની સમસ્યાને લઇને કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આજે ' ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે ચૂપ રહેશો તો બંધારણ નષ્ટ થશે તેમ જણાવ્યું છે.
પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી
ભાજપના 6 વર્ષના શાસન બાદ જીડીપીમાં સતત ઘટાડો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા રામલીલા મેદાનમાં 'ભારત બચાવો' રેલી આયોજિક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર હલ્લા બોલ કર્યું છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર હલ્લા બોલ કરતાં કહ્યું કે અર્થવ્યવસ્થાને આ સરકારે નષ્ટ કરી દીધી છે. ભાજપના 6 વર્ષના શાસન બાદ જીડીપી સતત ઘટી રહ્યો છે. નાના વેપારીઓ નાખૂશ છે. ભાજપના શાસનમાં બેરોજગારીનો દર વધ્યો છે. તેમ છતાં દરેક બસ સ્ટોપ પર જાહેરાતમાં 'મોદી હે તો મુમકીન' જોવા મળે છે.
ભાજપ છે તો 100 રૂપિયે ડુંગળી મુમકીન છે. 4 કરોડ નોકરી જવાનું મુમકીન છે. 15000 ખેડૂતોની આત્મહત્યા મુમકીન છે. ભાજપ છે તો દેશ વિરોધના કાયદા મુમકીન છે. ભાજપ છે તો આપણા PSU નું વેચાણ મુમકીન છે.
પ્રિયંકા ગાંધીને રેલી પર સંબોધન કરતાં ઉન્નાવની ઘટના યાદ આવી. રેલીને સંબોધન કરતા પ્રિયંકા ગાંધીએ પીડિતા પરિવારનું દુઃખ વ્યક્ત કર્યું.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંગા ગાંધીએ કહ્યું દેશ અનોખા સ્વાતંત્ર્ય સંગ્રામથી બહાર આવ્યો છે. આ દેશ પ્રેમનો દેશ છે, અહિંસાનો દેશ છે. ન્યાયની લડાવાને લઇને કોઇ મોટી દેશભક્તિ નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશના એક-એક નાગરિકને કહેવા ઇચ્છુ છું કો જો તમને દેશ પ્રત્યે પ્રેમ છે તો દેશનો અવાજ બનો. જો આજે આપણે ચૂપ રહીશું તો જોત-જોતામાં આપણું બંધારણ નષ્ટ થઇ જશે.