કોરોના સંકટની વચ્ચે કેન્દ્ર સરકારે ત્રણ મુખ્ય કામની ડેડલાઈન વધારી છે. આ ડેડલાઈન તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તેનો ફાયદો તમે સરળતાથી લઈ શકો છો. આ 3 મહત્વના કામની ડેડલાઈનમાં ગૅસ સિલિન્ડર, પીએફની રકમ અને ફ્રીમાં અનાજની સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે. મોદી સરકારની આ રાહતથી તમે તેનો સીધો ફાયદો સરળતાથી મેળવી શકશો.
મોદી સરકારે કોરોના સંકટમાં આપી રાહત
3 મહત્વના કામની ડેડલાઈન વધારી કરોડો લોકોને આપી રાહત
નવેમ્બર સુધી વધારી આ 3 કામની ડેડલાઈન
સપ્ટેમ્બર સુધી ફ્રીમાં સિલિન્ડર
સરકારની મહાત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાના 7 કરોડથી વધારે લાભાર્થીઓને ફ્રીમાં સિલિન્ડર આપવાની સુવિધાને સપ્ટેમ્બર સુધી વધારવાની પરમિશન આપી છે. આ યોજનાના આધારે 3 મહિના અને ફ્રી સિલિન્ડર આપવા પર 13,500 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના સંકટ અને લૉકડાઉનને ધ્યાનમાં રાખીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એેપ્રિલથી જૂન સુધી 3 સિલિન્ડર ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજનાના આધારે દેશના ગરીબ પરિવારની મહિલાઓના નામે ગેસ કનેક્શન ફ્રીમાં ફાળવવામાં આવ્યા હતા.
ઓગસ્ટ સુધી પીએફની રકમ સરકાર આપશે
કેન્દ્ર સરકાર ઓગસ્ટ સુધી કંપની અને કર્મચારીઓના ભાગનું ક્રમશઃ 12-12 ટકા પીએફની રાશિ પોતે આપશે. આ યોજના ફક્ત એ કંપનીઓને માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે. તેમાં 90 ટકાનો માસિક પગાર 15000 રૂપિયાથી વધારે નથી. ઉલ્લેખનીય છે કે સરકાર લૉકડાઉન શરૂ થયા બાદ એપ્રિલથી આ સુવિધા આપી રહી છે. સરકારના આ નિર્ણયથી 3.67 લાખ માલિકો અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે.
નવેમ્બર સુધી ફ્રીમાં અનાજ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 5 મહિના માટે એટલે કે જુલાઈથી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેના આધારે દરેક લાભાર્થી પરિવારોને ફ્રીમાં અનાજ સિવાય 5 મહિના સુધી દર મહિને 1 કિલો ચણા પણ ફ્રીમાં આપવામાં આવશે.