ચીન તરફથી ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકાર કસ્ટમ ડ્યુટી વધારવાની વિચારણા કરી રહી છે. ચીનથી આયાત થનારા માલ પર સરકાર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી શકે છે. જોકે, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બિનજરૂરી ચીજોની આયાત ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય વચ્ચે ચર્ચા થઈ રહી છે.
મોદી સરકાર કસ્ટમ્સ ડ્યુટી વધારવાનો વિચાર કરી રહી છે,
ભારતની કુલ આયાતનો આશરે 14 ટકા ભાગ ચીનથી આવે છે.
સરકારે ચાઇનીઝ સાધનોનો ઉપયોગ ઘટાડવાની સૂચના આપી છે
ભારતની કુલ આયાતનો 14 ટકા હિસ્સો ચીનમાંથી આવે છે. એપ્રિલ 2019 થી ફેબ્રુઆરી 2020 વચ્ચે ભારતે 62.4 બિલિયન ડોલરની માલની આયાત કરી હતી. જ્યારે પાડોશી દેશમાં નિકાસ 15.5 બિલિયન ડોલર હતી.
ચીનથી આયાત થતી મુખ્ય ચીજોમાં ઘડિયાળો, રમકડાં, રમતગમતનો માલ, ફર્નિચર, ગાદલા, પ્લાસ્ટિક, વિદ્યુત ઉપકરણો, રસાયણો, લોખંડ અને સ્ટીલની વસ્તુઓ, ખનિજ બળતણનો સમાવેશ થયો છે.
ભારત પાઠ ભણાવવામાં લાગ્યું છે
ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ખીણમાં ચીનને કરેલા કાયરતા ભરેલા કૃત્ય બાદ ભારતે તેને પાઠ ભણાવવાનું શરૂ કર્યુ છે. અગાઉ ભારતીય રેલવેએ ચીની કંપની સાથે કરાર રદ કર્યો છે. 2016 માં ચીની કંપની સાથે 471 કરોડનો કરાર થયો હતો. જેમાં તેને 417 કિલોમીટર લાંબી રેલવે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ સ્થાપિત કરવાની હતી. સરકારે પહેલેથી જ બીએસએનએલ અને એમટીએનએલને ચાઇનીઝ સાધનોનો ઉપયોગ ઘટાડવાની સૂચના આપી છે.
ત્યારે વેપારી સંગઠન કેટે ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અને ભારતીય ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય અભિયાનને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. સંગઠને 500 માલની યાદી તૈયાર કરી છે. જેમાંથી ચીનથી ઓર્ડર નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે દેશમાં ચીન વિરોધી વાતાવરણ ચરમસીમાએ છે. સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત અભિયાન ચાલી રહ્યું છે કે ચીની કંપનીઓના માલનો બહિષ્કાર કરવો જોઈએ. આરએસએસથી જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે માંગ કરી છે કે ભારતીય પ્રોજેક્ટ્સ માટે ચીની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે.