દેશના બે મોટા ઉદ્યોગપતિઓએ ઇનકમ ટેક્સ દરોમાં ઘટાડો કરવાની માંગ કરી, અને હવે નીતિ આયોગના ઉપાધ્યક્ષે સંકેત આપ્યો કે તેના પર વિચાર કરાઇ રહ્યો છે. દિલ્હીમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડો થયા બાદ હવે સરકાર પર્સનલ ઇનકમ ટેક્સમાં પણ ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું- સરકાર પર્સનલ ઇનકમ ટેક્સમાં કરી શકે ઘટાડો
RBIએ જીડીપીના વિકાસ દરને 6.9 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે આ અંગે સંકેત આપ્યા. એમણે કહ્યું કે, 'આ માંગ અમે ધ્યાને લીધી છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ મુદ્દા પર સરકારમાં વાર્તા થઇ રહી છે. ડિસ્કશન થઇ રહ્યું છે. કન્સલ્ટેશન કરવામાં આવી રહ્યું છે. આ એવી વસ્તુ છે જેના પર સરળતાથી ટિપ્પણી ન કરી શકાય.'
નોંધનીય છે કે, જે પ્રકારે આરબીઆઇએ વર્તમાન વર્ષમાં અનુમાનિત જીડીપીના વિકાસ દરને 6.9 ટકાથી ઘટાડી 6.1 ટકા કર્યો છે. સ્પષ્ટ છે કે ગત કેટલાક મહીનામાં સરકારે જે મોટા નિર્ણય લીધા છે તેની અર્થવ્યવસ્થા પર કોઇ અસર પડી નથી. અને સરકારે ફરી પહેલ કરવી પડશે.