સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDSના 43 લાખ 90 હજાર બોગસ અને બિન માન્યતા પ્રાપ્ત રાશન કાર્ડ રદ્દ કર્યા છે. સરકારે આ પગલું એટલા માટે લીધું છે જેથી યોગ્ય લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે સબ્સિડી વાળું અનાજ આપી શકાય. આ પહેલાં 2013માં મોટી સંખ્યામાં ડુપ્લીકેટ રાશન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું.
સરકારે રદ્દ કર્યા 44 લાખ રાશન કાર્ડ
યોગ્ય લાભાર્થીઓને ન્યાય આપવા માટે લેવાયો નિર્ણય
2013માં પણ ડુપ્લીકેટ રાશન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું
અધિકારીએ કહ્યું કે રાશન કાર્ડના ડિજિટલીકરણ અભિયાને સાર્વજનિક વિતરણ પ્રણાલીને પારદર્શી બનાવવા અને તેમાં સુધારો લાવવામાં મદદ કરી છે. તેઓએ કહ્યું કે અયોગ્ય રાશન કાર્ડને હટાવતી સમયે અમે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નક્કી કરાયેલા નવા લાભાર્થીઓને પણ જોડીએ છીએ.
જાણો કેટલા લોકોને મળશે NFSAનો લાભ
NFSAના આધારે લગભગ 81.35 કરોડ લોકોને લાબ મળે છે. તે દેશની આબાદીનો બે તતિયાંશ ભાગ છે. લગભગ 80 કરોડ લોકો હાલમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આધારે મહિને 5 કિલો ફ્રી અનાજ મેળવે છે. સરકાર આ યોજનાનો વિસ્તાર કરી શકે છે. આ યોજનાને માર્ચ 2020માં કોરોના મહામારીથી ઉત્પન્ન સ્થિતિ સામે લડવા માટે શરૂ કરાઈ હતી.
ખૂબ જ સસ્તા ભાવે મળે છે અનાજ
અધિકારીએ કહ્યું કે NFSAના આધારે અમે સબ્સિડી દરે 4.2 કરોડ ટન અનાજ વહેંચીએ છીએ. 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે. PMGKAYના આધારે દર મહિને 3.2 કરોડ ટન ફ્રી અનાજની વહેંચણી કરાય છે. કોરોનામાં આ બંને સ્કીમના આધારે આ વિતરણ કરાયું છે.
One Nation One Ration Card Schemeથી શ્રમિકોને મળશે મદદ
કેન્દ્ર સરકારે One Nation One Ration Card Schemeની યોદના શરૂ કરી છે. તેનાથી પ્રવાસી શ્રમિકોને ઝડપથી લાભ મળશે. આ યોજનાના આધારે દેશના કોઈ પણ ભાગમામં યોગ્ય વ્યક્તિને સરકારી સબ્સિડીના દરે રાશન મળશે. નેશનલ પોર્ટેબિલિટી ક્લસ્ટરના આધારે સરકારને 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજનાને એકસાથે લાવવામાં સફળતા મળી છે.