નાણા મંત્રાલય હાલના નાણાકીય વર્ષના ત્રીજા સત્રમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો (પીએસબી)ને 20 હજાર કરોડના ભંડોળને સમર્થન આપી શકે છે. ત્યારે જાણો કઈ બેંકને કેટલું ભંડોળ મળશે.
સરકારે ભંડોળ નાંખવા પર કોઈ પ્રતિબદ્ધતા નહોતી દર્શાવી
સરકારી બેંકોને 20 હજાર કરોડ રુપિયાની મદદને મંજૂરી મળી છે
ઓક્ટોમ્બર-ડિસેમ્બરમાં બેંકોને ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય છે
હકિકતમાં સરકારે કોરોના સામે લડવા માટે સંસદમાંથી કુલ 2.35 લાખ કરોડ રુપિયા ઉપરાંત વધારાનાં ખર્ચની મંજૂરી માંગી છે. જેને ધ્યાનમાં રાખીને હાલમાં જ પૂરા થયેલા સંસદ સત્રમાં 2020-21માં અનુદાનના અનુપુરક માંગ પહેલા ચરણ હેઠળ સરકારી બેંકોને 20 હજાર કરોડ રુપિયાની મદદને મંજૂરી મળી છે.
સૂત્રોનું કહેવું છે કે બેંકોના બીજા સત્રમાં આવનારા પરિણામ જણાવે છે કે કઈ બેંકને નિયામકીય પૂંજીની જરુરીયાત છે. આ ઉપરાંત અનુરુપ જરુરિયાત પડવા પર નિયામકીય ભંડોળની જરુરીયાતને પુરી કરવા માટે ઓક્ટોમ્બર-ડિસેમ્બરમાં બેંકોને ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય છે.
સરકારી બેંકોને ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઈક્કિટી અને બોન્ડસના માધ્યમથી ભંડોળ ભેગુ કરવાની મજૂરી પહેલાથી જ શેરધારકોને મળી ચૂકી છે.
કેન્દ્રએ 2020-21ના બજેટમાં સરકારી બેંકોમાં ભંડોળને લઈને પ્રતિબદ્ધતા નહોતી દર્શાવી. આશા છે કે બેંકો જરુરિયાત અનુસાર ભંડોળ બજારમાંથી ભેગુ કરી લેશે. 2019-20માં સરકારે આ બેંકોમાં 70 હજાર કરોડ રુપિયા નાંખ્યા હતા. જેમાં પંજાબ નેશનલ બેંકને 16, 091 કરોડ રુપિયા મળ્યા હતા.
યુનિયન બેંકને 11, 768 કરોડ, કેનેરા બેંકને 6571 કરોડ, ઈન્ડિયન બેંકને 2534 કરોડ, અલ્હાબાદ બેંકને 2153 કરોડ, યૂનાઈટેડ બેંકને 1666 કરોડ રુપિયા અને આંધ્ર બેંકને 200 કરોડ રુપિયા મળ્યા હતા. અન્ય બેંકોમાં ભંડોળગત મદદ મળતી રહી હતી.