કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ મોટો દાવો કર્યો છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સરકાર લોકસભાની બેઠકોમાં કરી શકે છે વધારો.
ચૂંટણી પહેલા લોકસભામાં બેઠકોની સંખ્યા થઈ શકે છે 1000 કે તેથી વધુ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ ટ્વિટ કરીને આપી હતી માહિતી
મનીષ તિવારી બાદ કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે પણ કરી ટ્વીટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ સરકાર લોકસભાની બેઠકોમાં વધારવાનો પ્રસ્તાવ લાવશે. તેમણે કહ્યું છે કે જો આવી દરખાસ્ત કરવામાં આવે તો આ પ્રસ્તાવ પર સામાન્ય લોકોનો પણ અભિપ્રાય લેવો જોઇએ. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, તે માટે સંસદનું નવું ચેમ્બર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે નવી સંસદમાં સાંસદો માટે વધુ બેસવાની જગ્યા હશે અને જો નેતાઓની સંખ્યા વધશે તો પણ જગ્યાની અછત રહેશે નહીં.
I am reliably informed by Parlimentary colleagues in @BJP4India that there is a proposal to increase strength of Lok Sabha to 1000 or more before 2024. New Parliament Chamber being constructed as a 1000 seater.
Before this is done there should be a serious public consultation.
મનીષ તિવારીએ ટ્વિટ કર્યું હતું કે, "ભાજપના સંસદીય સહયોગી દ્વારા મને વિશ્વસનીય માહિતી આપવામાં આવી છે કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા નીચલા ગૃહમાં બેઠકોની સંખ્યા વધારીને 1000 કે તેથી વધુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત જે નવું પાર્લિયામેન્ટ બનાવવામાં આવી રહ્યું છે તેમાં પણ 1000 સભ્યોની બેઠક ક્ષમતા રાખવામાં આવી છે. આ નિર્ણય લેવાય તે પહેલાં સરકારે આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ.
કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે પણ કરી હતી ટ્વીટ
મનીષ તિવારીના ટ્વિટ પર કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે પણ ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું છે કે આ મામલે ચર્ચા કરવાની જરૂર છે. તેમણે ટ્વિટ કર્યું, "આ મામલે જાહેર ચર્ચાની જરૂર છે. ભારત જેવા મોટા દેશને વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જરૂર છે. પરંતુ જો લોકસભામાં બેઠકોની સંખ્યામાં વધારો વસ્તીના આધારે કરવામાં આવે તો તે દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડી શકે છે. જે સ્વીકાર્ય નથી ".
શું 2024 પહેલા બેઠકોની સંખ્યામાં વધારો કરી શકાય છે?
અત્યાર સુધીમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યામાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. સંસદમાં બેઠકોની સંખ્યા વધારવા માટે સીમાંકન પંચની રચના કરવામાં આવે છે. અત્યાર સુધી દેશમાં ચાર વાર સીમાંકન પંચની રચના કરવામાં આવી છે, પરંતુ સીમાંકન પંચે ફક્ત ત્રણ વાર જ બેઠકોની સંખ્યામાં વધારો કર્યો છે. વર્ષ 2002માં, સીમાંકન પંચે બેઠકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય પાંચમાં સીમાંકન પાંચ પર છોડી દીધો. વર્ષ 2026માં પાંચમા સીમાંકન પંચની રચના થવાની છે. વિશેષ વાત એ છે કે 84મા સુધારા અનુસાર વર્ષ 2021ની વસ્તીના આધારે બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેથી, મનીષ તિવારીના દાવામાં યોગ્ય લાગતો નથી. જો કે, સેહમતી અથવા બે તૃતીયાંશ બહુમતી દ્વારા બંધારણીય સુધારા સાથે સરકાર બેઠકોની સંખ્યામાં વધારો કરવા માટે સ્વતંત્ર છે.