આ 15 ઓગસ્ટે વડાપ્રધાન બન્યા બાદ લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું આ 9મું ભાષણ હશે, અનેક મોટી જાહેરાતો થઈ શકે
15 ઓગસ્ટે PM બન્યા બાદ લાલકિલ્લાથી નરેન્દ્ર મોદીનું આ 9મું ભાષણ હશે
PM મોદી લાલ કિલ્લા પરથી કરી શકે છે આ મોટી જાહેરાતો
જીવનરક્ષક દવાઓની કિંમતોને લઈ પણ થઈ શકે છે મોટી જાહેરાત
આ 15 ઓગસ્ટે વડાપ્રધાન બન્યા બાદ લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીનું આ 9મું ભાષણ હશે. જોકે આ વખતે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવનરક્ષક દવાઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી આવશ્યક અને લાંબા ગાળાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની કિંમતને લઈને મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં પહેલીવાર લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું.
સૂત્રોનું માનીએ તો જરૂરી દવાઓ એટલે કે NELMની યાદીમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. અત્યાર સુધી યાદીમાં 355 દવાઓ છે. આ ઉપરાંત સરકાર કંપનીઓના માર્જિન પર CAP લાદી શકે છે. આ સ્થિતિમાં દવાઓની કિંમતમાં 70% સુધીનો ઘટાડો થઈ શકે છે. . સરકાર તેને અનેક તબક્કામાં લાગુ કરી શકે છે.આ સિવાય પીએમ મોદી મેડિકલ ટુરિઝમ વધારવા માટે નવી સ્કીમની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી તેમના ભાષણમાં દેશમાં તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નવી જાહેરાતો કરી શકે છે.
સૂત્રો મુજબ આ હીલ ઈન ઈન્ડિયા, હીલ બાય ઈન્ડિયાની થીમ પર હોઈ શકે છે, જેમાં સમગ્ર આર્થિક વિકાસ માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી અનાજ, તેલીબિયાં સહિત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો રોડમેપ જાહેર કરી શકે છે. પીએમ મોદી રાજ્યોને તેમની આયાત ઘટાડવા, ઉત્પાદન વધારવા માટે આહ્વાન કરી શકે છે.આ યોજનાને નવું નામ પણ આપી શકાય છે. પીએમ મોદી ડિજિટલ ઈન્ડિયાના ધ્યેયને પૂર્ણ કરવા માટે કનેક્ટિવિટી અને 5જી ટેક્નોલોજીના વિકાસ પર પણ વાત કરી શકે છે.