ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી ઇતિહાસ રચી દીધો છે. પોતાના મહેતન પર નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 300નો આંકડો પાર કર્યો છે અને લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પ્રાપ્ત કરી છે. એનડીએ 350ના જાદુઇ આંકડાની નજીક છે, જ્યારે કોંગ્રેસ ફરી 50 આંક સુધી જ પહોંચી શકી છે.
આજે પણ જીતની ખુશી બરકરાર રહેશે. ચૂંટણી પંચ દરેક વિજય સાંસદોને સર્ટિફિકેટ આપશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પદ પરથી રાજીનામું આપશે અને કેબિનેટની સાથે બેઠક યોજશે. આમ ભાજપના નેતૃત્વવાળી એનડીએને મળેલી પ્રચંડ સફળતા બાદ નવી સરકારને લઇને નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા.
જેને લઇને આજરોજ કેબિનેટની બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકમાં મહત્વના મુદ્દા પર મંથન અને હાલની સરકારનું વિસર્જનનું ઔપચારિક કામ પુરુ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને પોતાનું રાજીનામું સોંપશે. હાલની સરકારના વિસર્જન બાદ નવી સરકારની પ્રક્રિયા શરૂ થશે.
રાષ્ટ્રપતિ એકવાર ફરી નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા બોલાવશે. બીજી તરફ આજે જ એનડીએની બેઠક પણ યોજાય તેવી સંભાવના છે, જેમાં આગળની રણનીતિને ચર્ચા થઇ શકે છે.