દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકાર 2.0ની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું.
નાણા મંત્રી દ્વારા આવક વેરાને લઇને મોટી રાહત કરી છે. જેમાં 5 લાખ સુધી કોઇ ઇન્કમ ટેક્સ લાગશે નહીં. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં.
ટેક્સને લઇને આ છે નવો સ્લેબ
2.5 થી 5 લાખની આવક પર 5 % ટેક્સ
5થી 7.5 લાખની આવક પર માત્ર 10 % ટેક્સ
7.5થી 10 લાખની આવક પર 15 % ટેક્સ
10થી 12.50 લાખની આવક પર 20 % ટેક્સ
12.5 લાખથી 15 લાખની આવક પર 25 % ટેક્સ
15 લાખથી વધુની આવક પર 30 % ટેક્સ
નવી કોર્પોરેટ કંપનીઓ પર 15 % કોર્પોરેટ ટેક્સ
FM Nirmala Sitharaman: In this new personal income tax regime, income tax rates will be significantly reduced for the individuals who forgo certain exemptions and deductions https://t.co/5kATL4iF5l
મોદી સરકાર LICમાંથી મોટો હિસ્સો વેંચશે. LIC માટે સરકાર IPO લાવશે. સરકાર દ્વારા LIC નો એક ભાગ વેચવાની જાહેરાત બાદ વિપક્ષો દ્વારા હંગામો કરવામાં આવ્યો. નાણા મંત્રીએ કહ્યું કે 15માં નાણા પંચે પોતાનો રિપોર્ટ આપી દીધો છે. જેને સરકારે મંજૂર કરી દીધો છે. નાણા મંત્રીએ જણાવ્યું કે 2020-21 માટે જીડીપીનું અનુમાન 10 ટકા છે. આ નાણાકીય વર્ષમાં ખર્ચનું અનુમાન 26 લાખ કરોડ રૂપિયા છે.
IDBI બેંકના કેપિટલ બેલેન્સનું સ્ટોક એક્સચેન્જમાં વેચાણ કરવામાં આવશે. નાણા મંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે બેંકોમાં જમા નાણા પરની ગેરેંટી 1 લાખથી 5 લાખ સુધી વધારવામાં આવી છે.
નાણા મંત્રીએ લદ્દાખ માટે 5958 કરોડ રૂપિયાની જાહેરાત
2022માં ભારત જી-20 સંમેલનનું આયોજન કરશે. આ માટે સરકાર તરફથી 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી લદ્દાખ માટે 5958 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે.
Finance Minister Nirmala Sitharaman: Government is fully committed to supporting new UTs of J&K and Ladakh; Allocation of Rs 30,757 crores for 2020-21 for Jammu and Kashmir and Rs 5,958 crores for Ladakh pic.twitter.com/5FPENH1XIO
રાષ્ટ્રીય સુરક્ષા અમારા માટે મોટો મુદ્દો, અમારી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત
નાણામંત્રી સીતારમણે પોતાના બેજટ ભાષણમાં જાહેરાત કરી છે કે ઐતિહાસિક ધરોહર માટે 3000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. મોટા શહેરોમાં સ્વચ્છ હવા માટે 4400 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીઓ કહ્યું કે દેશમાં સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત રહી છે. પોતાના ભાષણમાં ટેક્સપેયર્સ માટે નાણા મંત્રીએ દેશમાં ટેક્સના નામ પર કલેકશન સાંખી લેવામાં આવશે નહીં. ટેક્સપેયર્સ માટે સરકારે મોટા પગલા ઉઠાવ્યાં છે. કંપની અધિનિયમ હેઠળ સંશોધન કરવામાં આવશે.
ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ કલ્ચર બનાવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. દેશમાં કેટલાંક આઇકૉનિક મ્યૂઝિયમ બનાવામાં આવશે. જેમાં મેરઠ જિલ્લામાં હસ્તિનાપુર પણ સામેલ છે. રાખીઘડી, હસ્તિનાપુર, શિવસાગર, ધોલાવીરા-ગુજરાત, તામિલનાડૂના આદિચનલ્લૂર ગામનો ઉલ્લેખ કરાયો છે.
મહિલાઓ માટે સરકારની મોટી જાહેરાત, બદલાઇ શકે છે માતૃત્વની ઉંમર!
એક લાખ ગ્રામ પંચાયત આ વર્ષે ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવશે. ભારતનેટ યોજના હેઠળ 6000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. બેટી-બચાવો-બેટી પઢાઓ યોજનાને ઘણુ સમર્થન મળ્યું, આ યોજના હેઠળ બાળ ગુણોત્તરમાં અંતર જોવા મળ્યું. 10 કરોડ પરિવારને ન્યૂટ્રિશન અંગેની જાણકારી આપવામાં આવશે. 6 લાખથી વદારે આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન આપવામાં આવશે. મહિલાઓના લગ્નની ઉંમર વધારવામાં આવી હતી. હવે અમારી સરકાર છોકરીઓમાં માતૃત્વની ઉંમરને લઇને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જેના માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે જે 6 મહિનામાં આ મુ્દદાઓ પર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
જલ્દી દોડશે બુલેટ ટ્રેન, દેશમાં નવા 100 એરપોર્ટ બનશે
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન કરવા માટે સરકાર મોટુ રોકાણ કરશે. જેના હેઠળ મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજીસ્ટીક સેન્ટર્સ બનાવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓને પોતાના સ્ટાર્ટઅપમાં યુવાઓને જોડવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે, ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ-વેને જલ્દી પુર્ણ કરવામાં આવશે.
6000 કિમી વાળા હાઇવે ને મુદ્રીકરણ કરવામાં આવશે. દેશમાં 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવામાં આવશે. 24000 કિમીવાળી ટ્રેનને ઇલેકટ્રોનિક બનાવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યા પણ વધારાવામાં આવશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કામમાં ઝડપ લાવવામાં આવશે. જળ વિકાસ માર્ગને વધારવામાં આવશે. આ માર્ગને આસામ સુધી વધારાવાની યોજના છે. ટ્રાન્સપોર્ટમાં 1.70 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
મેન્યુફેકચરિંગ હબ બનશે, દરેક જિલ્લા સુધી પહોંચશે સરકાર
પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ઇન્વેસમેંટ ક્લિયરન્સ સેલનું ગઠન કરવામાં આવશે જેના દ્વારા રોકાણ કરનારાઓને મદદ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર દ્વારા નવી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોબાઇલ, ઇલેકટ્રોનિક મેન્યુફેકટરને પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવા માટેની યોજના ચલાવામાં આવશે. આવનારા પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો ટાર્ગેટ છે.
શિક્ષા માટે મોદી સરકારે ખોલ્યો પિટારો, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ
હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવામાં આવશે. જલ્દી જ સરકાર તરફથી નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલમાં હવે મેડિકલ કોલેજ બનાવાની યોજના પણ બનાવામાં આવશે. લોકલ બોડીમાં કામ કરવા માટે યુવા એન્જીનિયર્સને ઇન્ટર્નશિપની સુવિધા આપવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ બનાવવા માટે સરકાર કામ કરી રહી છે. દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા માટે સુવિધાઓ આપવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવશે.
ફિટ ઇંડિયા મૂવમેંટને પ્રોત્સાહિત કરવા માટે સરકાર મોટું એકશન લઇ રહી છે. આયૂષ્માન ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ટી-2, ટી-3 શહેરોમાં મદદ પહોંચાડવામાં આવશે. જેના માટે પીપીપી મોડલની મદદ લેવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલા ઇન્દ્રધનુષ મિશનનો વિસ્તાર કરવામાં આવશે. મેડિકલ ડિવાઇસ પર જે પણ ટેક્સ મળે છે, તેનો ઉપયોગ મેડિકલ સુવિધાઓને વધારવામાં આવશે. ટીબી વિરુદ્ધ દેશમાં અભિયાન શરૂ કરવામાં આવશે. ટીબી હારેગા, દેશ જીતેગા. સરકાર તરફતી દેશને 2025 સુધી ટીબી મુક્ત કરવાનો પ્રયત્ન છે.
Finance Minister Nirmala Sitharaman: Youth and fishery extension work to be enabled by rural youth as 'Sagar Mitras', forming 500 fish farmer producing organizations. #BudgetSession2020pic.twitter.com/8S5y004wcT
પોતાના સંબોધનમાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર તરફથી ખેડૂતો માટે એક મોટી યોજના લાગુ કરવામાં આવી છે. સરકાર તરફથી કૃષિ વિકાસ યોજનાને લાગુ કરવામાં આવી છે. પીએમ ફસલ બીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને ફાયદો પહોંચ્યો છે. સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવી છે. ખેડૂતો માટે માર્કેટ ખોલવાની જરૂરિયાત છે, જેનાથી તેની આવક વધારી શકાય.
ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં સીતારમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે 16 સૂત્રની ફોર્મ્યુલાની જાહેરાત કરી રહી છે. જેમાં ખેડૂતોને ફાયદો પહોંચશે.
1. મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાશે
2. 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવામાં આવશે.
3. પીએમ કૂસુમ સ્કીમ દ્વારા ખેડૂતોને પંપને સોલર પંપ સાથે જોડાશે. જેમાં 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે.
5. દેશમાં હાલ વેયર હાઉસ, કોલ્ડ સ્ટોરેજને નાબાર્ડ પોતાની હેઠળ લેશે અને નવી રીતે તેને ડેવલોપ કરશે. દેશમાં વધુ વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવામાં આવશે. તેના માટે PPP મોડલ અપનાવામાં આવશે.
6. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી.
7. કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે. ઇન્ટરનેશન, નેશનલ રૂટ પર આ યોજના શરૂ કરાશે.
8. દૂધ, માંસ, માછલી સહિત ખરાબ થનારી યોજનાઓ માટે રેલ પણ ચલાવામાં આવશે.
9. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક જિલ્લો, એક પ્રોડક્ટ પર ફોક્સ કરવામાં આવશે.
10. જૈવિક ખેતી દ્વારા ઓનલાઇન માર્કેટમાં વધારો કરાશે.
11. ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારાવામાં આવશે.
12. દૂધના પ્રોડક્શનને બે ગણું કરવા માટે સરકાર તરફથી યોજના ચલાવામાં આવશે.
13. મનરેગાની અંદર ચારાગાહ ને જોડી દેવામાં આવશે.
14. બ્લૂ ઇકોનોમોની હેઠળ માછલી પાલનને પ્રોત્સાહન આપવામાં આવશે.
15. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહિત કરાશે.
16. ખેડૂતોને આપવામાં આવી રહેલી મદદને દીનદયાળ યોજના હેઠળ વધારવામાં આવશે.
FM Nirmala Sitharaman: Village Storage Scheme run by Self Help Groups, will provide holding capacity for farmers, women in villages can regain their status as 'Dhaanya Lakshmi' https://t.co/I6BwbXHP6s
કેન્દ્ર સરકારની લોન ઘટીને હવે 48.7 ટકા પર થઇ ગઇ છે. આ બજેટમાં ત્રણ બિંદુઓ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નિર્મલા સીતારમણે કાશ્મીરી એક શાયરી વાંચી. તેમણે કહ્યું કે હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જેસા, હમારા વતન ડલ ઝીલમે ખિલતા હુઆ કમલ જેસા, નૌજવાનો કે ગરમ ખૂન જેસા, મેરા વતન તેરા વતન હમારા વતન દુનિયાકા સબસે પ્યારા વતન
पंडित दीनानाथ कौल द्वारा रचित कविता के माध्यम से बजट सत्र को संबोधित करते हुए केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण: हमारा वतन खिलते हुए शालीमार बाग जैसे, हमारा वतन डल झील में खिलते हुए कमल जैसा,नवजवानों के गर्म खून जैसा,
मेरा वतन, तेरा वतन, हमारा वतन
दुनिया का सबसे प्यारा वतन।। pic.twitter.com/BTCG54w7Jt
નાણા મંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની નીતિ પર આગળ વધી રહી છે. ભારત આજે દુનિયાની વધતી અર્થવ્યવસ્થાની અધ્યક્ષતા કરી રહી છે. 2014 થી 2019 વચ્ચે મોદી સરકારની નીતિઓના કારણે 284 બિલિયન ડોલરની FDI આવી, જેના કારણે વેપાર વધ્યો.
જીએસટી માટે નિર્મલા સીતારમણે અરૂણ જેટલીજીને યાદ કર્યા
નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટીને બનાવનાર આજે આપણી સાથે નથી, હું અરુણ જેટલીજીને શ્રદ્ધાંજલિ આપું છું. દેશના લોકોની સેવા માટે અમારી સરકારે એખ દેશ એક ટેક્સ કાયદો લાગુ કરવાનો નિર્ણ કર્યો. જીએસટીનું કલેકશન સતત વધી રહ્યું છે, હાલમાં જ 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી દીધો છે.
આ દેશની આકાંક્ષાઓનું બજેટ
નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને બહુમતિ મળી, 2019માં ચૂંટણીના પરિણામો અમારી નીતિઓના આધારે જનાદેશ મળ્યો છે. લોકોએ અમારી સરકાર પર ભરોસો મુક્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.
કેન્દ્રિય કેબિનેટે પણ બજેટ-2020ને મંજૂરી આપી દીધી છે. આજે સંસદમાં કેન્દ્રીય બજેટ-2020 રજુ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે. ડેકોરમ મુજબર વહેલી સવારે રાષ્ટ્રપતિએ બજેટને મંજૂરી આપી છે.
LIVE અપડેટ્સ
GST દેશ માટે એક ચક્રવર્તી નિર્ણય રહ્યો છે: સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું
કેબનિટ બેઠક પૂર્ણ હવે બજેટ-2020 નાણાંમંત્રી લોકસભામાં રજૂ કરશે
બજેટ રજૂ કરતાં પહેલા રાષ્ટ્રપતિને મળ્યાં નિર્મલા સીતારમણ
લોકસભામાં બજેટ રજૂ કરતા અગાઉ દરેક વખતની જેમ નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્યકક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવી.