જો EPF એકાઉન્ટ હોલ્ડરની એક માર્ચ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કોવિડના કારણે નોકરી જતી રહી હોય અથવા એક ઓક્ટોબર 2020 બાદ નોકરી મળી હોય તો તેને પણ આ યોજનામાં લાભાર્થી બનાવવામાં આવશે.
આ યોજના હેઠળ 902 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી છે સરકાર
જો કંપનીઓમાં છે 1000થી ઓછા કર્મચારીઓ તો સંપૂર્ણ PF આપશે સરકાર
કર્મચારી અને કંપની બંન્નેનો PF આપશે સરકાર
કેન્દ્ર સરકાર કોરોનાના કારણે આર્થિક સંકટથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં સુધારો અને દેશના લોકોને રાહત પહોંચાડવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નવા પેકેજ હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને આગળ વધારવાની જાહેરાત કરતા કહ્યું કે પ્રાઈવેટ કંપનીઓમાં નવી ભરતીના સંદર્ભમાં પીએફ એકાઉન્ટમાં કર્મચારીઓના ભાગની રકમ પણ સરકાર જ જમા કરાવશે.
આ યોજના હેઠળ 902 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી છે સરકાર
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લાગુ કરવામાં આવેલી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ પહેલા કર્મચારીઓના PF એકાઉન્ટમાં આપવામાં આવતી કંપનીઓના ભાગની રકમ સરકાર આપશે તે નક્કી હતુ પરંતુ હવે તેની મર્યાદા વધારીને કર્મચારીઓ સુધી કરી દેવામાં આવી છે. તેનો સીધો લાભ કર્મચારીઓને થશે. આ યોજના હેઠળ અત્યાર સુધી સરકાર લગભગ 21 લાખથી વધુ એમ્પ્લોય માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે.
જો કંપનીઓમાં છે 1000થી ઓછા કર્મચારીઓ તો સંપૂર્ણ PF આપશે સરકાર
મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજનાને એક ઓક્ટોબર 2020એ લાગુ કરવામાં આવામાં આવી હતી. શરૂઆતમાં યોજનાને 30 જૂન 2021 સુધી લાગુ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે થયેલા નુકસાનના કારણે જે કંપનીઓમાં 1000થી ઓછા કર્મચારીઓ છે. તેમાં કંપનીની તરફથી તથા કર્મચારીઓ બન્નેના ભાગનો PF સરકાર તરફથી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ એવા નવા સ્ટાફ જેમની સેલેરી 15,000થી ઓછી છે તેમને લાભ આપવામાં આવશે. જો EPF એકાઉન્ટ હોલ્ડરની એક માર્ચ 2020 થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કોરોનાના કારણે નોકરી જતી રહી છે અથવા ઓક્ટોબર 2020 બાદ નોકરી મળી છે તો તેને પણ આ યોજનામાં લાભાર્થી બનાવવામાં આવશે.