કેન્દ્ર સરકાર લગભગ 130કરોડ ભારતીઓને કોરોનાની રસી આપવા માટે 50 હજાર કરોડની વ્યવસ્થા કરી છે. સરકારનો અંદાજો છે કે એક વ્યક્તિને રસી આપવા માટે લગભગ 385 રુપિયાનો ખર્ચ થશે.
દરેક ભારતીયને રસી જલ્દીથી જલ્દી રસી મળે તે માટે વ્યવસ્થા
સરકારે આ માટે 50 હજાર કરોડની વ્યવસ્થા કરી
સરકાર એક વ્યક્તિ માટે 385 રુપિયાનો ખર્ચ કરશે
બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રકમ નાણાકીય વર્ષના અંત એટલે કે 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવી છે. સરકારનો અંદાજ છે કે દરેક વ્યક્તિને 2 ઈન્જેક્શન આપવા પડશે. એક ઈન્જેક્શન પાછળ 150 રુનો ખર્ચ થશે. આ ઉપરાંત તેના સ્ટોરેશ અને ટ્રાન્સપોર્ટેશન વગેરેનો ખર્ચ ભેળવતા બે ઈન્જેક્શન પાછળ 385 રુપિયાનો ખર્ચ થશે.
સરકારની એક સમિતિનું માનવું છે કે ભારતમાં કોરોનાનો પીક સમય આવી ચૂક્યો છે. અને ફેબ્રુઆરી 2021 સુધીમાં આ નિયંત્રણાં આવી જશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે જીડીપી ઘટીને લગભગ 24 ટકા ઘટી છે.
દુનિયામાં અનેક દેશોમાં કોરોનાની રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. ભારતમાંસીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ દ્વારા રસીના પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. આવનારા વર્ષની શરુઆતમાં રસી બજારમાં આવે તેવી આશા સેવાઈ રહી છે.
પીએમ મોદીએ ભરોસો આપ્યો છે કે જેવી કોરોનાની રસી તૈયાર થશે સરકાર ભારતીયો સુધી પહોંચાડશે. 20 ઓક્ટોબરે રાષ્ટ્રને સંબોધન કરતા તમામ લોકોને સાવચેત પણ કર્યા હતા કે તહેવારમાં સાવચેત રહો અને કોરોનાને લઈને કોઈ ઢીલ ન વર્તો.