કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું છે કે, રોડ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટેની યોજના અમલમાં મૂકવા માટે તે બ્લૂપ્રિન્ટ સાથે તૈયાર છે. રાજ્યોના પરિવહન સચિવ અને કમિશનરોને મોકલવામાં આવેલી સૂચના અનુસાર, આ યોજનામાં પ્રત્યેક કેસ દીઠ 2.5 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સ કવરેજની મર્યાદા રહેશે. ભારતમાં વાર્ષિક લગભગ 5 લાખ માર્ગ અકસ્માત થાય છે, જેથી આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. અકસ્માતમાં લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે અને 2 લાખ લોકો અપંગ થઈ જાય છે.
મોદી સરકાર લાવી રહી છે જોરદાર નવી સ્કીમ
હવે અકસ્માત પીડિતોને મળશે આટલા લાખનો વીમો
તૈયાર થશે મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ
મંત્રાલયે જણાવ્યું કે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે મોટર અકસ્માતનો ભોગ બનેલા લોકોની કેશલેસ સારવાર માટેની યોજનાને લાગુ કરવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે, જેને મોટર વાહન અધિનિયમ 2019માં સામેલ કરવામાં આવી હતી. જેમમાં અકસ્માત દરમિયાન પીડિતોનો ઈલાજ સામેલ છે. આ સંદર્ભે, પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવ અને પરિવહન પ્રભારી સચિવોને પત્ર લખીને આ મહિનાની 10 તારીખ સુધીમાં યોજનાના કન્સેપ્ટ નોટ પર વિચારણા કરવાની માંગ કરી છે. આ યોજનામાં મોટર વાહન અકસ્માત ફંડ બનાવવાનું પણ સામેલ છે.
આ યોજનાનો લક્ષ્ય લોકોને અકસ્માતનો ઈન્શ્યોરન્સ ઉપલબ્ધ કરાવવાનો છે
નેશનલ હેલ્થ ઓથોરિટીના પીએમ જન આરોગ્ય યોજના માટે નોડલ એજન્સી તરીકે લાગુ કરવા અને દેશભરની 21,000થી વધુ હોસ્પિટલોને સોંપવામાં આવી છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ દેશના તમામ લોકોને ફરજિયાત ઈન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવવાનો છે.
આ ફંડનો ઉપયોગ માર્ગ અકસ્માત પીડિતોની સારવાર માટે અને ઇજાગ્રસ્ત અથવા હિટ એન્ડ રન કેસમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને વળતર ચૂકવવા માટે કરવામાં આવશે. આ યોજના એવી રીતે બનાવવામાં આવી છે કે જે લોકો પાસે સારવાર કરાવવાના પૈસા ન હોય તેમને પણ યોગ્ય સમયે બધાને ક્વોલિટી હેલ્થ કેર સુવિધા મળે.