કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસેજના જમ્મુ કાશ્મીર કેડરને ખતમ કરી દીધો છે. સરકારે ગુરૂવારે આ સંબંધિત આદેશ જાહેર કર્યા. જમ્મુ કાશ્મીર રિઑર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે જાહેરનામું જાહેર કરી દીધું છે. જમ્મુ કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારી હવે AGMUT કેડર(અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યૂનિયન ટેરેટરીઝ કેટર)નો ભાગ હશે.
કલમ 370 હટાવવાના 17 મહિના બાદ કેન્દ્ર સરકારે કર્યો આદેશ
આ પહેલા જમ્મુ કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂંક બીજા રાજ્યોમાં નહોતી થતી. સરકારના નવા આદેશ બાદ હવે જમ્મુ કાશ્મીરના અધિકારીઓની બીજા રાજ્યમાં પણ નિમણૂંક કરી શકાશે. જણાવી દઇએ કે, મોદી સરકારે વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરની કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના 2 કેન્દ્ર શાસિત પ્રદેશોનમાં વહેંચવામાં આવ્યા હતા.
આ નિર્ણય બાદથી કેન્દ્ર સરકારનું ફોકસ સતત જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસ પર છે. સરકાર બન્ને પ્રદેશોને લઇને કેટલાક મહિત્વના નિર્ણય પણ લઇ રહી છે. ગત દિવસોમાં લદ્દાખને લઇને ગૃહમંત્રી અમિત શાહે એક બેઠક કરી હતી. લદ્દાખની સંસ્કૃતિ ક્ષેત્રીય સંરક્ષણ અને ઓળખ યથાવત્ રાખવાને લઇને અમિત શાહ અને લેહ લદ્દાખના પ્રતિનિધિમંડળ વચ્ચે મીટિંગ થઇ હતી. ગૃહમંત્રીએ આ મુદ્દાઓ પર કામ કરવા માટે એક કમિટીનું એલાન પણ કર્યું.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકાર લદ્દાખના વિકાસ અને તેમની ભૂમિ અને સંસ્કૃતિના સંરક્ષણ પ્રત્યે સંકલ્પિત છે અને સરકારે લદ્દાખના લોકોની વર્ષોથી પેન્ડિંગ સંઘ શાસિત રાજ્યની માંગને પૂર્ણ કરીને પોતાના પ્રતિબદ્ધતાને દર્શાવી છે.
5 ઓગસ્ટ, 2019ને હટાવવામાં આવી કલમ 370
જમ્મુ અને કાશ્મીર માટે 5 ઓગસ્ટ, 2019નો દિવસ ઐતિહાસિક છે. આ દિવસે મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર અપાવનારી કલમ 370ના કલમોને હટાવી દીધી હતી. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ ખતમ થઇ ગયો.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના કેટલાક નેતાને નજરબંધ કરી દીધી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા જેવા નેતા પણ હતા. જેના માટે સરકારે ઘણી આલોચનાઓનો પણ સામનો કરવો પડતો હતો. જ્યારે, સરકાર 370 ખતમ કરવાના ફાયદાની પણ ગણતરી છે. સરકારનો દાવો છે કે, જમ્મુ અને કાશ્મીરથી 370 હટાવ્યા બાદ ઘાટીમાં આતંકવાદી હુમલામાં અછત આવી છે.