ઑટો સેક્ટર, રિયલ એસ્ટેટ, ટેલિકૉમ, વિત્તીય સેવાઓ, બેંકિંગ, સ્ટીલ, ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ તમામ સેક્ટરમાંથી નકારાત્મક ચર્ચા આવી. ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે અને બેરોજગારીમાં વધારો થઇ રહ્યા છે. તાજેતરમાં આવેલા જૂન ત્રિમાસિકનો GDP ગ્રોથ પણ 5% જેટલો રહ્યો.
મોદી 2.0 સરકારની શરૂઆત મંદીના સંકેતોથી થઇ
ઘણા સેક્ટરોમાંથી નકારાત્મક સમાચાર મળ્યા
જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ માત્ર 5% રહ્યો
ટ્રેડ વૉરને કારણે દુનિયામાં આર્થિક મંદીનો ખતરો
વિત્ત મંત્રીએ મંદી દૂર કરવા માટે ઘણી જાહેરાતો કરી
મોદી 2.0 સરકારની શરૂઆત મંદીના સંકેતોથી થઇ અને 100 દિવસ પૂરી થવા પર આર્થિક મંદી વધતી ગઇ
તાજેતરમાં મંદીના મુખ્ય કારણે ઘરેલૂ માંગમાં ઘટાડો, રોકાણમાં ઘટાડો, ઓટો સેક્ટરમાં મંદી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો માનવામાં આવી રહ્યો છે.
મોદી સરકારે આગામી 5 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ જાણકારો અનુસાર, 5% ની GDP માં સંભવ નથી. આ માટે વાર્ષિક 8-9% GDP ગ્રોથ જોઇશે.
ઑટો સેક્ટરની સ્થિતિ ખરાબ:
આર્થિક મંદીનુ સૌથી મોટુ કારણ દેશનું ઑટો સેક્ટર રિવર્સ ગિયરમાં ચાલી રહ્યુ છે. કાર તથા અન્ય વાહનોના વેચાણમાં ઘટાડો ઓગસ્ટથી અત્યાર સુધી ચાલી રહ્યો છે. ઓગસ્ટમાં કારના વેચાણમાં 29% નો ઘટાડો થયો, ઑટો સેક્ટરમાં જોડાયેલા 3.50 લાખથી વધારે કર્મચારીઓએ ગુમાવી અને લગભગ 10 લાખ કર્મચારીઓની નોકરી ખતરામાં છે.
ટેક્સટાઇલ-સ્પિનિંગ ક્ષેત્રની સ્થિતિ ખરાબ:
કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધારે 10 કરોડ લોકોને રોજગાર આપનારા ટેક્સટાઇલ સેક્ટરની સ્થિતિ પણ ખરાબ છે. નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ એસોશિયેશન અનુસાર, રાજ્ય તથા કેન્દ્રીય GST અને અન્ય ટેક્સને કારણે ભારતીય યાર્ન વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધા કરવા માટે લાયક નથી રહ્યુ. એપ્રિલથી જૂન ત્રિમાસિક કોટર યાર્નમાં નિકાસમાં વર્ષ દર વર્ષ 34.6% નો ઘટાડો થયો. જૂનમાં તો 50% સુધીનો ઘટાડો થયો.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી:
આજ પ્રકારની સ્થિતિમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ સ્થિતિમાં છે. માર્ચ 2019 સુધી ભારતના 30 મોટા શહેરોમાં 12.80 લાખ મકાન તૈયાર છે પરંતુ ખરીદી કોઇ નથી કરી રહ્યુ, એટલે કે બિલ્ડર જે ગતિથી મકાન બનાવી રહ્યા છે તે ગતિથી ખરીદી નથી થઇ રહી.
GDP 5%:
2018-19માં દેશનો GDP વિકાર દ 6.8% રહ્યો, જે ગત 5 વર્ષમાં સૌથી ઓછો છે. આ વિત્ત વર્ષના જૂન ત્રિમાસિકમાં તો GDP નો ગ્રોથ ઘટીને 5% થયો. RBIએ આ સ્થિતિ જોઇને વર્ષ 2019-20 માટે વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.9% કરી દીધુ.
GST ની અસર GDP પર:
દેશમાં કર સુધારા હેઠળ 2017માં GST લાગૂ કરવામાં આવ્યો, ત્યારે તેણે દેશની ટેક્સ સિસ્ટમને ઇતિહાસના મોટા રિફોર્મ માની રજૂ કરવામાં આવ્યુ, જોકે પછી તેમાં ઘણા બદલાવ કરવામાં આવ્યુ. પરંતુ જે રિફોર્મને સરકારી પોતાની આવક માનતી તેનાથી આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજસ્વ વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આકંડાઓ અનુસાર, ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન 1 લાખ કરોડથી ઓછુ રહ્યુ. જૂલાઇ 2019માં આ રાશિ 1 લાખ કરોડ રૂપિયા હતી.
બેકિંગ અને NBFC માં રોકડ તંગી:
બેંક અને NBFC ( નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ) દ્વારા વાણિજ્યિક ક્ષેત્રમાં આપવામાં આવેલા લોનમાં ઘટાડો થયો છે. IL&FS અનિયમિતતા કારણે વિત્તીય સેક્ટરમાં સંકટ વધ્યુ, જે કારણે આ સેક્ટરમાં રોકડની સમસ્યા આવી. રોકડ ના મળવાને કારણે લોકો ઘર ખરીદી, વાહન ખરીદી નથી કરી શકતા અને ન તો વેપાર કરી શકે છે.
આ સંકેતોને કારણે મંદીની શરૂઆત:
RBI દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આકંડા અનુસાર, બેંકો દ્વારા ઉદ્યોગોને આપવામાં આવેલી લોનમાં ઘટાડો થયો છે. પેટ્રોલિયમ, ટેક્સટાઇલ, ફર્ટિલાઇઝર અને ટેલિકૉમ જેવા સેક્ટર્સે લોન લેવાનું ઘટાડી દીધુ છે. એપ્રિલથી જૂન 2019ની ત્રિમાસિકમાં સોના-ચાંદીની આયાતમાં 5.3% નો ઘટાડો થયો છે, જ્યારે આ દરમિયાન ગત વર્ષે 6.3% નો વધારો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલની વધતી કિમંતોની અસર મોંઘવારી પર જોવા મળી રહી છે. અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરને કારણે દુનિયામાં આર્થિક મંદી વધી રહી છે, જેની અસર ભારત પર પડી રહી છે. ડૉલરની સરખામણીએ રૂપિયમાં ઘટાડો થયો છે. આયાતની સરખામણીએ નિકાસ ના વધવાને કારણે દેશના રાજસ્વને ખોટ પડી રહી છે અને વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે.
અમેરિકા અને ચીનની વચ્ચેના ટ્રેડ વૉરના વધારાથી દુનિયા ભરમાં આર્થિક મંદી જોવા મળી રહી છે. આ બંને મહાશક્તિઓ વચ્ચે થઇ રહેલા ટ્રેડ વૉરને કારણે ઘણા નાના દેશો મુશ્કેલીમાં છે.
કઇ રીતે સુધરશે સ્થિતિ:
જાણકારો અનુસાર, સરકાર જ્યારે ટેક્સ સુધા કરશે, રાજસ્વમાં સુધાર લાવશે, લોકોની માંગમાં વધારો થાય તે માટે પગલા લેશે, ત્યારે અર્થવ્યવસ્થા સુધરીને પાટા પર આવશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના બજારમાં આવેલી મંદીને દૂર કરવા અને અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે અલગ-અલસગ સેક્ટર્સ, ઉદ્યોગ અને સામાન્ય જનતાને મંદીથી રાહત આપવા માટે ઘણી જાહેરાત કરી હતી, પરંતુ તેની અસર કેટલી છે તે આવનારા સમયમાં ખબર પડશે.