PM મોદીને EC દ્વારા વધુ એક મામલામાં ક્લીનચિટ આપવામાં આવી છે. મોદી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારી નંબર વન વાળા નિવેદન અંગે ચૂંટણી પંચ દ્વારા ક્લીનચિટ આપવામાં આવી છે.
PM મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહ્યાં હતા. જેને લઈને PM મોદીના નિવેદનને લઇને ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. ત્યારે આ મામલે ચૂંટણીપંચનું કહેવું છે કે,મોદીના નિવેદનમાં ECIના નિયમોનો ભંગ થતો નથી. જેને લઈને તેમને ક્લીનચિટ આપવામાં આવે છે..
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં યૂપીના પ્રતાપગઢમાં ચૂંટણી રેલી દરમિયાન રાજીવ ગાંધીનું નામ લીધી વગર તેમના પર પ્રહાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતુ કે, કેટલાક લોકો મને પાડી દેવામાં પોતે પડી ગયા. દેશ ભૂલ માફ કરી શકે છે પણ વિશ્વાસઘાતને નહીં.
EC on complaint against PM over 'Bhrashtachari No1' remark against Rajiv Gandhi: Prima facie, we did not figure out any literal violation of MCC as given in Election Commission of India instructions. Case is therefore disposed off. pic.twitter.com/flRb6uzoVL
મને પાડી દેવાના અને હરાવવાના સપના છોડી દો. મારી તપસ્યા પર ડાઘ નહીં લગાવી શકે. તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહતે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.