અમરેલીના ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રુપાલાને મોદી સરકારમાં સ્થાન મળતા તેમના વતન ઇશ્વરીયા ખાતે તેમના નિવાસ સ્થાને ખુશીનો ઉત્સવ મનાવી મોં મીઠા કરાયા.
અમરેલી જિલ્લાના ભાજપના નેતા પુરુષોત્તમ રુપાલાનુ ગામ ઇશ્વરીયા છે. જ્યાં મોદી સરકારમાં અમરેલીને બીજી વખત કેંદ્રમાં સ્થાન મળતા તેમના ગામમાં ખુશીનો માહોલ છે. ત્યારે રુપાલાજીના માતુશ્રીને હરખનો પાર નથી અને તેઓએ પોતાની કાલીઘેલી ભાષામા સફળતાના આશિર્વાદ પણ આપી દીધા.
પુરુષોત્તમ રુપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં બાજી વખત સ્થાન મળવાથી તેમના ભાઈએ પણ ખુશી વ્યક્ત કરી ગ્રામજનો અને કાર્યકરોને મોં મીઠા કરાવી સૌનો તેમજ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમરેલીના ભાજપના નેતાને મોદી સરકારમાં બીજી વખત કેબીનેટમાં સ્થાન મળતા ગામના કાર્યકરોમા ઉત્સાહનો પાર નથી. રુપાલાના નિવાસસ્થાને જઈ ફટાકડા ફોડી મોં મીઠા કરાવી જય જય કારના નારા બોલાવ્યા હતા.
અમરેલી જિલ્લાના ગૌરવ સમા પુરુષોત્તમ રુપાલાને અમરેલીથી મંત્રીમંડળમાં સ્થાન મળવાથી જિલ્લાના હવે બે સાંસદ મળી અમરેલીને કેટલા વિકાસના પંથે લઈ જશે તે જોવાનુ રહેશે.