મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (અમેન્ડમેન્ટ) બિલ, 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીની સાથે હવે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. હવે આ બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. હવે આ બિલ દ્વારા મહિલાઓ 24માં સપ્તાહે પણ ગર્ભપાત કરી શકશે.
આ બિલ દ્વારા મહિલાઓ 24માં સપ્તાહે પણ ગર્ભપાત કરી શકશે
ગર્ભપાત કરાવાની સમયમર્યાદા વધારવાને લઇને કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરાઇ હતી
આ જનહિત અરજીમાં ઘણી વ્યવહારીક મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો
કેન્દ્રીય મંત્રીમંડળે આજે બુધવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (અમેન્ડમેન્ટ) બિલ 2020ને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધન માટે મંજૂરી આપી દીધી છે. આ બિલને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
ગત વર્ષે ગર્ભપાત કરાવવાની સમયમર્યાદા વધારવાને લઇને કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યું કે, ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખતા તેના ગર્ભપાતની સમયમર્યાદા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરવાને લઇને મંત્રાલયે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે.
સરકારની તરફથી દાખલ સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગની સલાહ લીધા બાદ ગર્ભપાત સંબંધી કાયદામાં સંશોધનના ડ્રાફ્ટને જલ્દી જ અંતિમ રુપ આપવામાં આવશે. જે બાદ તેને કાયદા મંત્રાલય પાસે મોકલી દેવામાં આવશે જેથી ગર્ભપાત સંબંધી કાયદા પર જરૂરી સંશોધન થઇ શકે.
સ્વાસ્થ્ય મંત્રાલયે હાઇકોર્ટને જણાવ્યું કે, ગર્ભપાત સંબંધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) કાયદો, 1971માં સંશોધનને લઇને પોતાનો ડ્રાફ્ટ કાયદા મંત્રાલયને મોકલી દીધો છે. ત્યારબાદ, કાયદા મંત્રાલયે સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું હતું કે, હાલ સંસદનું બંને ગૃહ અનિશ્ચિતકાળ માટે સ્થગિત છે. એવામાં નવી સરકાર બન્યા બાદ આ મુદ્દાને ધ્યાને લઇશું. સ્વાસ્થ્ય મંત્રાલયે તાત્કાલિક ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચની સામે સોગંધનામું દાખલ કર્યું હતું.
ગર્ભપાતનો અધિકાર મહિલાઓની પાસે હોય
મંત્રાલયે આ સોગંધનામું અરજીકર્તા અને વકીલ અમિત સાહનીની જનહિત અરજીના મામલામાં દાખલ કરી. અમિત સાહનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, મહિલા અને તેના ભ્રુણના સ્વાસ્થ્યના ખતરાને જોતા ગર્ભપાત કરાવવાની મર્યાદા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરી દેવામાં આવે. આ ઉપરાંત બિન પરણિત મહિલા અને વિધવાઓને પણ કાયદાકીય રૂપે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવે.
અમિત સાહનીએ પોતાની આ જનહિત અરજીમાં ઘણી વ્યવહારીક મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જે સમાજમાં ગર્ભધારણ બાદ મહિલાઓએ વેઠવી પડે છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જે પ્રકારે ગર્ભધારણનો અધિકાર મહિલાઓ પાસે છે એ પ્રકારે ગર્ભપાત કરાવવાનો પણ અધિકાર મહિલાઓની પાસે હોવો જોઇએ.
શું છે અન્ય દેશોમાં ગર્ભપાતનો કાયદો
ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સના લેખ અનુસાર નેપાળ, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા, ઇથોપિયા, ઇટલી, સ્પેન, આઇસલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ સહીત 52 ટકા દેશોમાં બાળકોમાં વિસંગતિઓ મેળવવા પર 20 સપ્તાહથી વધારે થવા પર ગર્ભપાતની મંજૂરી છે. જ્યારે ડેનમાર્ક, ઘાના, કનાડા, જર્મની, વિએતનામ અને જામ્બિયા સહિત 23 દેશોમાં કોઇપણ સમયે ગર્ભપાતની મંજૂરી છે.