મોદી સરકારે બુધવાર કરેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લીધા. કેન્દ્ર સરાકરે પાકિસ્તાન અધિકૃત પાકિસ્તાન (Pok) થી વિસ્થાપિત થઇને ભારતને ઘણા રાજ્યોમાં આવીને વસેલા 5300 કાશ્મીરી પરિવારને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્રની તરફથી 5.5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે, જેથી તેઓ કાશ્મીરમાં વસી શકે. આ અંગેની માંગ લાંબા સમયથી થઇ રહી છે.
વિસ્થાપિત કાશ્મીરો માટે મોદી સરકારની જાહેરાત
કેન્દ્રીય કેબિનેટમાં પુર્નવાસ માટે ભથ્થુ આપવાની જાહેરાત
5300 પરિવારોને આ યાદીમાં શામેલ કરવામાં આવશે
આ 5300 પરિવારનું નામ શરૂઆતથી વિસ્થાપિતોની યાદીમાં શામેલ ન હતુ. પરંતુ હવે સરકારને નિર્ણય કર્યો છે કે, આ યાદીમાં શામેલ કરવામાં આવ્યુ છે અને આર્થિક મદદ કરવામાં આવશે.
મોદીએ મંત્રીને સમજાવ્યુ કે કોણે મળશે રાશિ...
તમને જણાવી દઇએ કે, 5300 પરિવારમાં 3 રીતના પરિવારને શામેલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક 1947ના ભાગલાના સમયે આવ્યા, કેટલાક કાશ્મીરથી વિલય પછી અને કેટલાક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) થી ભારત આવ્યા હતા. આ પરિવાર કાશ્મીરથી અલગ રાજ્યમાં પણ વસી ગયા.
2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PoK થી આવેલા લોકોને 5.5 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારે આ 5300 પરિવારને લાભ મળ્યો ન હતો. જોકે હવે કેન્દ્રીય કેબિનટે આ પરિવારને મદદ કરવા માટે રાશિને મંજૂરી આપી દીધી છે. સરકારની તરફથી આપવામાં આવેલી રાશિ આ પરિવારોને પોતાનું ઘર વસાવવા માટે આપવામાં આવશે.
કોણ છે આ પરિવાર:
આ 5300 પરિવાર એ છે જે ભાગલાના સમય પછી અથવા તો કાશ્મીરના વિલય પછી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) છોડીને હિંદુસ્તાન આવ્યા હતા. પરંતુ ત્યારે તે કાશ્મીરમાં ના રોકાઇને દેશના અન્ય હિસ્સામાં વસ્યા. જોકે પછી પરત જમ્મૂ-કાશ્મીરમાં વસ્યા હતા. આજ કારણ છે તેમના પાસે કોઇ અધિકાર ન હતા અને તેમણે કોઇ સરકારી લાભ મળ્યો ન હતો.
તમને જણાવી દઇએ કે, જમ્મૂ-કાશ્મીરમાં પહેલા એજ લોકો નાગરિક વોટ આપી શકતા હતા અથવા તો ચૂંટણી લડી શકતા હતા, જે લોકો મૂળ નાગરિક હતા. એટલે કે ભાગલા પછી જે લોકો જમ્મૂ-કાશ્મીરમાં આવીને વસ્યા હતા તેમણે વોટિંગનો અધિકાર ન હતો, આ સિવાય કેટલીક જાતિના લોકોને આ અધિકાર ન હતા.
જોકે કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 હટાવ્યા પછી આ નિયમ નિષ્પ્રભાવી થઇ ગયો છે. હવે આ 5300 પરિવારને પણ લાભ મળવા જઇ રહ્યો છે, જેની શરૂઆત પુર્નનિવાસ ભથ્થાથી સાથે થઇ છે.