7 જુલાઇના રોજ થયેલી કેબિનેટ વિસ્તરણમાં સૌથી મહત્વપૂર્ણ કામ મંત્રાલયોની જવાબદારી બદલાવનું રહ્યું. જેમાં સૌથી ખાસ વાત એ પણ સામે આવી કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીમાં જે બે મંત્રાલયો પર દેશની નજર હતી, તે હવે નવા મંત્રીઓને સોંપવામાં આવ્યું.
7 જુલાઇના રોજ થયું કેબિનેટનું વિસ્તરણ
કોરોનામાં આ મંત્રાલયો પર હતી સમગ્ર દેશની નજર
PM મોદીએ લીધો આ પાંચ મંત્રાલયો માટે લીધો આ નિર્ણય
PM મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું અને મોટું કેબિનેટ ગઈકાલે બદલાઈ ગયું. PM મોદીની આ ટીમમાં યુવા અને ભણેલા ચહેરાઓ સામે આવ્યા. સાથે જ કેટલાક મંત્રીઓને પદ પરથી રાજીનામા પણ આપવા પડયા. 7 જુલાઇના રોજ થયેલી કેબિનેટ વિસ્તરણમાં સૌથી મહત્વપૂર્ણ કામ મંત્રાલયોની જવાબદારી બદલાવનું રહ્યું. જેમાં સૌથી ખાસ વાત એ પણ સામે આવી કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીમાં જે બે મંત્રાલયો પર દેશની નજર હતી, તે હવે નવા મંત્રીઓને સોંપવામાં આવ્યું.
સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના મહામારીના સમયમાં સૌથી મહત્વની ભૂમિકા જો ગણવામાં આવે તો તે છે સ્વાસ્થ્ય મંત્રાલય. છેલ્લા દોઢ વર્ષમાં જે દેશમાં જે કઈ પણ તે સમગ્ર ઘટનાના મધ્યસ્થમાં સ્વાસ્થ્ય મંત્રાલય રહ્યું. પણ હવે ડૉક્ટર હર્ષવર્ધનને કેબિનેટ માંથી બહાર કાઢવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ સરકાર પર ઘણા બધા સવાલો ઉઠયા હતા, જેના કારણે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ PM મોદીની છબીને નુકશાન થયું હતું. તેથી હવે મનસુખ માંડવિયા ને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
શિક્ષા મંત્રાલય
કોરોના મહામારીમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણી મોટી અસર થઈ. છેલ્લા દોઢ વર્ષમાં લગભગ શાળઓ બંધ રહી અને ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ. પણ હવે આ મંત્રાલયમાંથી રમેશ પોખરીયાલ નિશંકને રજા આપી દેવામાં આવી. હવે આ જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવી.
શ્રમ મંત્રાલય
કોરોનામાં જે પહેલી મુશ્કેલી સામે આવી હતી, તે પ્રવાસી મજૂરો સાથે જોડાયેલી હતી. જ્યારે જ્યારે પણ રાજ્યોમાં લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું ત્યારે ત્યારે આ પ્રશ્નો સામે આવ્યા. જેના પરિણામે હવે આ મંત્રાલયમાં સંતોષ ગંગાવરને રજા આપવામાં આવી અને મંત્રાલયમાં ભૂપેન્દ્ર યાદવને સ્થાન આપવામાં આવ્યું.
પેટ્રોલિયમ મંત્રાલય
છેલ્લા ઘણા મહિનાઓથી જો ભારતની દરેક જનતાને સૌથી વધુ આક્રોશ હોય તો તે વધતી જતી મોંઘવારી છે. સાથે જ પેટ્રોલ ડિઝલના ભાવને લઈને મોદી સરકારની છબી પણ હવે ધીમે ધીમે ઘટી રહી હતી. તેથી હવે હરદીપ પૂરીને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, આ પહેલા આ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન પાસે હતું.
રેલ મંત્રાલય
ભારતની લાઈફ લાઇન ગણાતી સેવાને હવે એક નવો ચહેરો મળ્યો છે. કેબિનેટમાં હવે પિયુષ ગોયલ પાસેથી આ મંત્રાલય હવે લઈ લેવામાં આવ્યું છે અને આ જવાબદારી હવે અશ્વિની વૈષ્ણવને આ જવાબદારી આપવમાં આવી છે. હવે ભારતીય રેલવેને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે શું બદલાવ આવી શકે છે તે જોવું રહ્યું.