PM મોદીના આવાસ પર એક પછી એક મંત્રી મંડળની બેઠકનો સિલસિલો શરૂ થયો.
લોક જનશક્તિ પાર્ટીની લડાઈ હવે ઇલેક્શન કમિશન સુધી પહોંચી ગઈ છે
લડાઈના પડઘા હવે કેન્દ્રીય કેબિનેટ સુધી પહોંચી ગયા
JDU અને LJP માંથી ઘણા લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે
લોક જનશક્તિ પાર્ટીની લડાઈ હવે ઇલેક્શન કમિશન સુધી પહોંચી ગઈ છે
લોક જનશક્તિ પાર્ટીની લડાઈ હવે ઇલેક્શન કમિશન સુધી પહોંચી ગઈ છે. ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ પોત પોતાની રીતે પાર્ટી પર પોતાનો અધિકાર જમાવી રહ્યા છે. આ બધા વચ્ચે હવે પશુપતિ પારસ પટનાથી હવે દિલ્હી પહોંચી ગયા છે અને પોતાના ઘરે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું છે કે ચિરાગ પાસવાન હવે પાર્ટીના અધ્યક્ષ નથી રહ્યા. તે માટે હવે તેમની પાસે કોઈ પણ બેઠક કરવાનો અધિકાર રહ્યો નથી.
લડાઈના પડઘા હવે કેન્દ્રીય કેબિનેટ સુધી પહોંચી ગયા
સૂત્રોનું માનીએ તો LJP માં થઈ રહેલ આ અંદરની લડાઈના પડઘા હવે કેન્દ્રીય કેબિનેટ સુધી પહોંચી ગયા છે. પણ મંત્રીમંડળ આ બેઠકમાં આવતા પશુપતિએ જણાવ્યું કે આ PMનો વિશેષ અધિકાર છે. જો વાત કરીએ તો પ્રધાન મંત્રી મોદીને પોતાના બીજા કાર્યકાળમાં પહેલું જે મંત્રી મંડળ છે તેને વિસ્તૃત કરવું છે, તે માટે PM મોદીના આવાસ પર એક પછી એક મંત્રી મંડળની બેઠકનો સિલસિલો શરૂ થયો. જેમાં PM મોદી દ્વારા મંત્રીઓના કામની સમીક્ષા કરવામાં આવી.
JDU અને LJP માંથી ઘણા લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે
સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારની બંને પાર્ટીઓ JDU અને LJP માંથી ઘણા લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ મંત્રી મંડળમાં સ્થાન લેવા માટે જ ચિરાગ પાસવાન અને પશુપતિ વચ્ચે સંઘર્ષ થયો અને તેઓ અલગ થયા. તે પછી પાર્ટીમાં ભાગલા પડી ગયા. બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે બિહારમાં છેલ્લા વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે ઘર્ષણ થયું હતું, આ પણ એક કારણ હોઈ શકે છે.
ચિરાગ પાસવાન એકીસાથે ત્રણ-ત્રણ હોદ્દો ભોગવતો હોવાનું કારણ આપીને તેમને હટાવાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ચિરાગ પાસવાનની જગ્યાએ સૂરજભાન સિંહને LJP ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવાનો આદેશ અપાયો છે. પાર્ટીમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ચિરાગ પાસવાન જ્યારે સોમવારે દિલ્હીમાં તેમના કાકા પશુપતિ કુમાર પારસના ઘેર પહોંચ્યા ત્યારે મીડીયા રિપોર્ટમાં જણાવાયું કે તેઓ એક પ્રસ્તાવ લઈને ગયા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી તેમના રાજીનામાની ઓફર સાથે તેમની માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી.