નરેન્દ્ર મોદી સરકારે પાયાના માળખાના વિકાસનાં ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટમા મહારાષ્ટ્રાનાં વધાવનમાં 65 હજાર કરોડ રુપિયાના ખર્ચે એક નવું બંદર વિકસાવવા મંજુરી આપી દીધી છે. વધાવન બંદરના વિકાસ થતાની સાથે ભારત ટોપ 10 કંટેનર બંદરોવાળા દેશમાં સમાવેશ પામશે.
65 હજાર કરોડ રુપિયાના ખર્ચે એક નવું બંદર
ભારત ટોપ 10 કંટેનર બંદરોવાળા દેશમાં સમાવેશ પામશે
વધાવનમાં બનાવવામાં આવશે આ બંદર
મોદીના વડપણ હેઠળ કેન્દ્રીય મંત્રી પરિષદે બુધવારે આ પ્રસ્તાવને મંજુરી આપી દીધી હતી. અત્યારે દેશનું સૌથી મોટું કન્ટેનર બંદર મહારાષ્ટ્રાનું JNPTમાં છે. આ મહારાષ્ટ્રા, ઉત્તર કર્ણાટક, તેલંગાનાના આંતરિક વિસ્તારો અને ગુજરાત, મધ્ય પ્રદશે, રાજસ્થાન, એનસીઆર, પંજાબ અને ઉત્તર પ્રદેશનાં આંતરિંક વિસ્તારોની જરુરિયાતો પુરી પાડે છે.
નવું બંદર બનાવવાની શું જરુર પડી
દુનિયાનાં સૌથી મોટા કન્ટેનર જહાજોને રાખવા માટે ડીપ ડ્રાફ્ટની જરુર પડે છે. જે મિલિયન ટીઈયુની હાલની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી લીધા બાદ JNPT બંદર ઉપરાંતની અવરજવરની જરુરિયાતોને પણ પુરી કરે.
વધાવનમાં જ કેમ બનશે
એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યાનુસાર JNPT બંદર અને મુંદ્રા દેશનાં બે સૌથી મોટા કન્ટેનર રાખવાની ક્ષમતા ધરાવનાર બંદર છે. તેમનો ડ્રાફ્ટ ક્રમશઃ 15 મીટર અને 16 મીટર છે. જ્યારે કે દુનિયાના સૌથી મોટા કન્ટેનરને રાખવા માટે આધુનિક ડીપ ડ્રાફ્ટ બંદર માટે 18 એમથી 20 એમના ડ્રાફ્ટની જરુર હોય છે. કિનારાથી નજીક વઘાવન બંદરમાં પ્રાકૃતિક ડ્રાફ્ટ લગભગ 20 મીટર છે. જેનાથી આ બંદર પર મોટા જહાજોને રાખી શકવાની શક્યતા છે. આ બંદરને વિકાસ 16000 થી 25000 ટીઈયુ ક્ષમતાનાં કન્ટેનર જહાજોને રાખી શકે તે માટે સક્ષમ હશે. જેનાથી અર્થવ્યવસ્થાનું સ્તર સુધરશે અને લોજિસ્ટિક ખર્ચ ઓછુ થવાથી લાભ થશે.
પૈસા કેવી રીતે આવશે
કેબિનેટે નિર્ણયમાં જણાવ્યું કે આ નવા બંદરને ભૂ-સ્વામિત્વ મોડલમાં વિકસિત કરવામાં આવશે. તેનો ખર્ચ 65,544 હજાર કરોડ રુપિયા થવાનો અંદાજ છે. જવાહરલાલ નહેરુ પોર્ટની સાથે ભાગીદારી રુપે એક સ્પેશિયલ પર્પજ વ્હિકલ(એસપીવી) સ્થાપવામાં આવશે. JNPTની આ યોજનાને અમલમાં મુકવા માટે એક સરખી ભાગીદારી 50 ટકા બરાબર અથવા તેનાથી વધારે હશે.
કેબિનેટે નિર્ણયમાં કહ્યું કે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ભારતમાં સૌથી મોટું છે. જે વિશ્વના 28માં નંબરે આવે છે. તેની પ્રવાસન 5.1 મિલિયન ટીઈયૂ તથા 10 મિલિયન ટીઈયુની ક્ષમતા વૃદ્ધિ કરનારા ચૌથા ટર્મિનલે પુરુ થયા પછી જવાહરલાલ નહેરુ પોર્ટ વિશ્વમાં 17મું સૌથી મોટું કન્ટેનર પોર્ટ બનશે.